SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૫ ) લેકની આસપાસ વસે છે. દિગમ્બરને મતે એમના ૨૪ વર્ગ છેઃ सारस्वत, आदित्य, बह्नि, अरुण, गर्दतोय, तुषित, अव्याबाध सने अरिष्ट અને એ વર્ગોની વચ્ચે આવતા બીજા ૧૬ વર્ગ–કુલ ૨૪ એ મેહમુક્ત હોય છે અને તેથી એમને ફેવર્ષિ કહે છે; તીર્થકરે જ્યારે દીક્ષા લેવાના હોય છે ત્યારે તેઓ તેમની પાસે આવે છે, અન્ત મનુષ્ય જન્મ ધારણ કરે છે અને મોક્ષ પામે છે. ૧ થી ૮ સુધીના પ્રદેશને કહે છે અને ત્યાંના વસનારને જ કહે છે, તેથી ઉપરના પ્રદેશને જારી કહે છે અને ત્યાંના વસનાર પણ તે જ નામે ઓળખાય છે. વૈમાનિકનાં નામ એમનાં સ્થાન ઉપરથી પડેલાં છે. એ સ્થાન રત્નમણિનાં બાંધેલાં ને ભવ્ય છે, એકેકા નગર જેવડાં મેટાં છે. નરકની પેઠે એના પણ એકમેક ઉપર ગોઠવાયેલા માળ છે, એકેક માળમાં વચ્ચે મધ્યવિમાન હોય છે, ત્યાંથી ચારે દિશામાં વિમાનેની ચાર શ્રેણિઓ હોય છે, અને એ શ્રેણિઓની વચ્ચે વળી બીજા છુટાં વિમાન હોય છે. દેવલોકમાં રહેનાર દેવે દેખાવે અતિ સુન્દર હોય છે, પ્રકાશિત કુમાર જેવા હોય છે, એમને છાયા હોતી નથી, એ આંખને પલકારે મારતા નથી, એમના વાળ ને નખ વધતા નથી. એમને સદા ઇન્દ્રિયસુખ મળ્યે જાય છે; સુન્દર શબ્દ, ગંધ, રસ ને વર્ણ નિરત્તર બદલાયા જાય છે, અને આંખે સદા ભવ્યભાવે મીંચાયા વિનાની રહે છે. ત્યાં સદા સુખી સ્થિતિ પ્રવર્તે છે, રાત-દિવસને ભેદ નથી અને મણિમાણિક્યના પ્રકાશથી સો પ્રકાશી રહે છે. | સ્વર્ગ જેમ ઉંનું, તેમ ત્યાં રહેનાર દેવનું આયુ, અવધિજ્ઞાન, બળ અને એને આનંદ વધારે, પણ તેના શરીરનું પરિમાણ, આત્મવેદન (ભાન–Consciousness), કમંધન ( Possessions) એ છું; વળી તેને ફરવાને પ્રદેશ વિશ્વમાં એ છે (ઉપરનાં સ્વર્ગમાંના દેવને પ્રવાસમેહ એ છે હેાય છે). પહેલા પ્રદેશમાં વેશ્યા તૈજસ, બીજા અને ત્રીજામાં પડ્યું અને બાકીનામાં શુક્લ હોય છે. જુદા જુદા પ્રદેશમાંના દેવને નારીસુખ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy