SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૬ ) - ૪ કાળ.. બીજા દ્રવ્યમાં ફેરફાર કરે એ કામ કાળનું છે. એ નવાને જુનું અને જુનાને નવું કરે છે. કુંભાર પિતાના ચાક ઉપર માટીને પિંડ મૂકે છે, તેને બનાવો નથી, છતાં પિતાની હાજરીથી તેને ગતિ આપે છે, તેવી જ રીતે કાળ પણ પિતાની હયાતિથી બીજી વસ્તુઓમાં ફેરફાર થઈ શકે એને માટેની જોગવાઈ આપે છે. તત્ત્વજ્ઞાનના ગંભીર વિચાર પ્રમાણે તે કાળ અનાદિ, અનન્ત, અરછેદ્ય, અખંડ પ્રવાહ છે; પણ એને સમજી શકાય એટલા માટે એમાં અસંખ્ય સમય માન્યા છે. એમાંને એક સમય વર્તમાનકાળને અને બાકીના ગમે તે ભૂતકાળના કે ગમે તે ભવિષ્યકાળના છે. બીજાં બધાં દ્રવ્યની પેઠે કાળમાં પ્રદેશ હેતે નથી તેથી કેટલાક જૈનદર્શની એને દ્રવ્યની ગણનામાં લેતા નથી. બીજા એને દ્રવ્ય માને છે અને કહે છે કે એના અસંખ્ય પર માણુ એકમેક ઉપર ગોઠવાઈ જાય છે અને એકમેક સાથે મળી ગયા વિના એકમેક સાથે આકાશમાં રહી શકે છે. ગમે તેમ પણ એ પ્રતિય નથી, કારણકે જીવ અને બીજા ચાર અજીવ તની પેઠે એનામાં સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશ નથી. જેનોની કાળગણના વિશિષ્ટ પ્રકારની છે. નાનામાં નાને કાળ વિભાગ તે સમય. પરમાણુ પોતાની આસપાસ એક પ્રદક્ષિણું કરી રહે એટલા કાળને સમય કહે છે, અસંખ્ય સમય મળીને એક છાત્ત થાય છે, ૧૬૭૭૭૨૧૬ આવલિકા મળીને એક મુદ્દ, ૩૦ મુહૂર્ત મળીને એક સોપાત્ર, ૧૫ અહોરાત્ર મળીને એક પત્ત, ૨ પક્ષ મળીને એક માસ, ૨ માસ મળીને એક ઋતુ, ૩ ઋતુ મળીને એક ઝન, ૨ અયન મળીને એક સંવત્સર, ૮૪૦૦૦૦૦ સંવત્સર મળીને એક પૂર્વા, ૮૪૦૦૦૦૦ પૂર્વા મળીને એક પૂર્વ, (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦૨ સંવત્સર) થાય છે. અને એમ કાળગણના મેટી ને મેટી થતી જાય છે ને છેવટે ૧૯૪ આંકડા જેવડી મેટી થાય છે. ત્યારપછી કાળગણના ચક્કસ આંકડે નહિ, પણ માત્ર ઉપમાઓ કરવામાં આવે છે. એક જોજન પહે, એક જોજન લાંબે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy