SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) કરેલાં પુણ્યનાં ફળ રૂપે તું આ જન્મે સુખ ભેગવે છે, પૂર્વ જન્મમાં કરેલાં પાપનાં ફળ રૂપે તું આ જન્મે દુઃખ ભેગવે છે.” કથાઓ અને કથાનકે અનેક સ્વરૂપે છે, અનેક કદના છે. પશુપંખીની અને આનંદ ઉપજાવે એવી એવી નાની નાની કથાઓથી માંડીને તે ગદ્યમાં, પદ્યમાં કે ગદ્યપદ્યમાં, નવે સ્વરૂપે રચાયેલી લાંબી લાંબી કથાઓ પણ અનેક છે. આવી લાંબી કથાઓ જે પદ્યમાં હોય તે સાહિત્યમાં એ કાવ્ય કહેવાય છે. જેનોએ આ પ્રકારનું સાહિત્ય એટલું બધું લખ્યું છે કે તેમાંના મહત્વના ગ્રંથ સંબંધે લખવા જેટલું પણ આ ગ્રંથના પરિમિત ક્ષેત્રમાં બની શકે નહિ. ત્યારે એમાંના થોડાજ ગ્રંથ વિષે અહીં સંક્ષેપમાં જ લખીને મારે સતેષ લેવું પડે છે. (અથવા ગીવર) વિષે ઇતિહાસ તે દિગંબરમાં) સૌથી વધારે લેકપ્રિય કાવ્યવસ્તુ છે. સંસ્કૃતમાં એ કથા રચાઈ છે, તેમજ ગુણભદ્રના (નવમા સૈકામાં રચાયેલા ) ઉત્તરપુરાણમાં પણ એ કથા છે. પણ સૈથી સુન્દર તે તામિલ રચના છે; તિરર (સં. શ્રી રવિ ) ૧૦ મા કે ૧૧ સૈકામાં થઈ ગયેલા, તેમણે એ કથા લખેલી કહેવાય છે. એ કથા લખાયા સંબંધે એવી વાત ચાલે છે કે તિરૂત્તકદેવર મદુરાની પ્રખ્યાત પાઠશાળામાં ભણતા હતા. એમના સહાધ્યાયીઓએ એકવાર એમને કહ્યું કે “કામશાસ્ત્ર વિષે કશું લખવાની તારામાં શકિત નથી. ત્યારે એમણે જણાવ્યું કે “હજીસુધી કામશાસ્ત્ર વિષે મેં કશું લખ્યું નથી એ વાત સાચી, પણ પ્રસંગ આવશે તે એ સંબંધે ગ્રન્થ લખીશ ત્યારે તેમાં પ્રેમ તથા જીવનવિલાસની વાતે લખીશ.” પછી એમણે જીવ નિત્તામm નામે ગ્રન્થ લખે, તેમાં જીવકનાં ૮ લગ્ન વિષે, તેના એક મિત્રના ૧ લગ્ન વિષે તેમજ નાયકના વિજ્ઞાન, પૃથ્વી, સુખ અને નિર્વાણ સાથેના લગ્ન વિષે અલંકારરૂપે ૧૮ ગાનામાં વર્ણન કર્યું. એ ગ્રન્થ રચાઈ રહ્યા પછી એક તેજે દ્વેષીએ એને વાં ને કહ્યું જે “તિરૂત્તકદેવર પાકે દુરાચારી હે જોઈએ, અને એણે પોતાના કામજીવનના બધા અનુભવે એકઠા કરીને
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy