SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સુધાબિંદુ ૨૯કેઈને પણ મૂળ કારણમાં દુષ્ટ માનવો નહિ એ પ્રથમ આવશ્યકતા છે. ૪. જેને માટે ઘણું ઘણું કરવામાં આવે છે, તે વસ્તુ : ઘણું ઘણું કરવાથી મળવાની નથી. હું પણ રીતથી કરવાથી મળે, એટલે રીત જાણવાની જરૂર છે. સુખ મેળવવા માટે રીત જાણવી જોઈએ. રીત વગર સુખ મેળવવાની પ્રક્રિયા દુઃખદાયક બને છે. સ્વાદિષ્ટ ભજન સુખ આપે છે, પણ તે હદ બહાર કરવામાં આવે તે દુઃખદાયક બની જાય છે. આ પ્રમાણે સર્વમાં સમજવું. માટે બાહ્ય સુખ પણ મેળવવા માટે તેની રીત જાણવી જોઈએ. આંતર-સુખપ્રાપ્તિ માટે તે વિશેષ આવશ્યકતા. છે સમજની. ૮૫. પ્રસન્નતા એ સાધ્ય છે. સાધનસામગ્રી ઘણી એકઠી કરી હેય, એ એકઠી કરવામાં ખૂબ જહેમત ઉઠાવી હાય, સાચવવા માટે પારાવાર પ્રયત્ન કર્યા હોય અને એમાં ને એમાં જીવનની ક્ષણે વ્યતીત થતી હોય તે લાભ શે? એ સર્વ કરવામાં પ્રસન્નતા રહેતી હોય તો કાંઈક લાભ ખરે, પણ એમ ન હોય અને પછીથી પ્રસન્નતા મેળવવાની હોય તે તે કયારે મેળવવાની છે? મળવાની છે કે નહિ? કેવી રીતે મળવાની છે? એ જરીક વિચારવા જેવું છે. એ વિચાર આવશે તો સમજાશે કે પિતાની ભૂલ કયાં છે?
SR No.023012
Book TitleJain Shikshavali Sudhabindu
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1960
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy