SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ - અસકતા શા વન્દન નમસ્કારાદિ કરવાથી પ્રભેદભાવ પ્રગટ થઈ શકે છે. ગુણ આત્માની સ્વ–પર ઉભયકૃત વન્દનાદિ પૂજા જેઈને સર્વ ઈન્દ્રિયોથી અભિવ્યક્ત થતે હર્ષ જ્યારે સ્વભાવસિદ્ધ બને ત્યારે પ્રમોદભાવના પરિપૂર્ણ થાય છે. ૪. પરોપામુપેક્ષા દોષો બે પ્રકારના હોય છે, એક સાધ્ય અને બીજા અસાધ્ય. અસાધ્ય દેવાળા આત્માઓને દેખીને સ્વાભાવિક રીતે જ તેના પ્રત્યે મનુષ્યને રોષ પ્રગટે છે, તે વખતે ઉપેક્ષા (માધ્યચ્ચ)ભાવના ખાસ હિતકર છે. ઉપેક્ષાભાવના કે માધ્યભાવના કર્મની પ્રબળતા અને પરતંત્રના વિચાર કરાવે છે, અને તેથી આવેલે રેષ શમાવી દે છે. આ માધ્યચ્યભાવ જેમ અસાધ્ય દોષવાળા પ્રાણીઓ પ્રત્યે કેળવવાને છે તેમ સુખ આપવા માટે સર્વથા અસમર્થ એવાં વિષયનાં સુખે પ્રત્યે પણ કેળવવાને છે. ચાર ગતિમાં વિવિધ પ્રકારનાં દુઃખોને અનુભવતે જીવ ફવચિત મનુષ્ય અને દેવાદિ ગતિએને વિષે સર્વ ઇન્દ્રિઓને ઉત્સવ કરાવનારાં તથા મનને આહૂલાદ આપનારાં વિષય સુખને પામે છે, પરન્તુ તે વખતે તેની અસારતા અને ક્ષણવિનશ્વરતાને નહિ જાણતા તે તેના ભાગમાં આસક્ત બની જાય છે અને પરિણામે અનંત દુઃખનો અધિકારી થાય છે. માધ્યચ્ચ ભાવનાના મર્મને પામેલે આત્મા તે વખતે વિષયસુખની અસારતાને અને કદાચિલ્કતાને (તેનું કોઈક જ વાર મળવાપણું અને મળ્યા પછી તુરત જ ચાલી જવા પણું) જાણતો હોવાથી તેના પ્રાયે ઉદાસીન ભાવને ધારણ કરી શકે છે ! 19
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy