SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અને અસર્વજ્ઞ પ્રરૂપિત કુશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા સિદ્ધાતે ઉપર મજબૂત વિશ્વાસ. (૨) અવિરતિ-પ્રારંભમાં સુખદાયી પણ પરિણામે કડવાં એવાં વિષયનાં સુખની તીવ્ર અભિલાષા, અને મરતાં પણ તેને નહિ છોડવાના પરિણામ, (૩) અશાતા વેદનીયન ઉદય–તેનાથી ક્ષય, જ્વર, ભગંદર, કુષ્ટાદિ દુષ્ટગોની પીડાને અનુભવ. परसुखतुष्टिमुदिता પિતાથી બીજાને અધિક સુખી અથવા ગુણ દેખીને તેના સુખ કે ગુણ ઉપર ઈર્ષ્યા કે અસૂયા ભાવ ન થવા દેવો પણ હર્ષ ધારણ કરવો. એ પ્રમેદભાવનાનું લક્ષણ છે. ઈર્ષ્યા એટલે બળતરા અને અસૂયા એટલે બીજાના ગુણામાં દેનું ઉદ્દભાવન. પ્રમેદ ભાવનાવાળે બીજાને પિતાથી અધિક સુખી અગર ગુણી દેખીને હદયમાં બળતે નથી, આનંદ ધારણ કરે છે, તેઓને સુખ કે ગુણને દૂષિત કરવાને બદલે તેને આગળ લાવવા પ્રયત્ન કરે છે. ગુણબહુમાન ”ને પ્રભાવ અચિન્ય છે તથા પોતાના કરતાં પારકાના સુખની કિંમત ઘણું વધારે છે, એ વસ્તુ સમજાયા વિના સાચી પ્રમોદ ભાવના પ્રગટી શકતી નથી. ગુણબહુમાનથી નિત્ય નવીન નવીન ગુણેની પ્રાપ્તિ થાય છે, તેથી ગુણને અથી ગુણ અને ગુણનું સન્માન કે બહુમાન કર્યા સિવાય રહી શકતો નથી. જે પિતા સિવાય બીજાના ગુણને જાણતો જ નથી, અથવા જાણવા કાળજી પણ ધરાવતો નથી, અથવા જાણવામાં આવ્યા પછી પણ તેનું સન્માન કરવાની ભાવનાવાળે થતું નથી, તેને ગુણની 17 -
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy