SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાને શક્તિમાન નથી માટે નિશ્ચય દષ્ટિએ જીએ તે પુદ્ગલેને વિષે કઈ પણ સ્થળે રાગદ્વેષ કર યોગ્ય નથી. * જે પુગલનાં પરમાણુઓ રાગદ્વેષ, ક્રોધ માન આદિ ભાવ કર્મ રૂપે પરિણમ્યાં છે તે અપેક્ષાએ તે ચેતન રૂપ મનાય છે. રાગ દ્વેષાદિ પુદ્ગલના પર્યાયે છે છતાં તે આ મોના વિભાવ પરિણામ કહેવાય છે, આ અપેક્ષાએ પુ૬ગલને અમૂર્તિક કહેલાં છે. નહિંતર પુગલ મૂર્તિમાન કહે વાય છે અને રાગદ્વેષને અચેતન મનાય છે. આ પુદ્ગલથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે છતાં અજ્ઞાન તાને લીધે ઉત્તમ-સારાં પુશલાદિકમાં રાગ અને નિદિત પુગલમાં દ્વેષ કરે છે. * રાગદ્વેષ ક્યાં કરું? | મારા તરફ ઉપકાર કરનાર કે અપકાર કરનાર તરફ હું જ્યારે જોઉં છું ત્યારે મને બીજાનું યા તેનું અચેતન શરીર દેખાય છે પણ ચેતન આત્મા દેખાતું નથી, તે તેના કરેલા ઉપકાર કે અપકારમાં કયાં રાગ અને કયાં ઠેષ કી અર્થાત્ તે શરીર ઉપર રાગ દ્વેષ કરે નકામે છે. શત્રુ, માતા, પિતા, સ્ત્રી, સ્વજને, ભાઈઓ, બહેને અને પુત્ર પુત્રીઓ તે સર્વ આ શરીરને મદદગાર થાય છે અથવા તે તેને નાશ કરે છે પણ મને ચેતનાત્માને તેઓ કાંઈ કરતા નથી કરી શકતા નથી. ખરેખર મૂર્તિમાન શરીરે
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy