SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ વિશેષતાવાળાં કે ચડીયાતાં નથી. આ સમજ જે જીવમાં પ્રગટ નથી થઈ તેને ચારિત્રવાનું કહી શકાય જ નહિં. પુન્ય અને પાપ બને બંધન રૂ૫ હેવાથી સંસારની વૃદ્ધિનાં કારણે છે. પાપ કરતાં પણ પુણ્ય આત્મભાન વિશેષ પ્રકારે. ભૂલાવનાર છે, અભિમાનનું કારણ છે, પ્રમાદનું ઘર છે, અવિરતિનું સ્થાન છે, વિવિધ ઈચ્છાઓનું પ્રેરક અને પોષક છે, આત્મભાન વિનાનાને વિશેષ પાપ કરાવીને દુર્ગતિમાં લઈ જનાર છે. પાપથી જીવ દુઃખી થાય છે, તેનું અભિમાન ગળી જાય છે, દુઃખ તેને જાગૃત કરે છે, તે દૂર કરવા માર્ગ શોધાવે છે, વિનય અને વિવેક, નમ્રતા અને સ્વાશ્રયતા શીખવાડે છે. આ પાપના ઉદયે સંસ્કારી જીવ જાગૃત થાય છે અને સુખી થવાના માર્ગે તે ચાલે છે, આમ પુન્ય કરતાં પાપને ઉદય કોઈ અપેક્ષાએ ઠીક છે. બાકી આશ્રવ તે આત્માને આવરણ કરનારાં ધોળાં અને કાળાં બને પ્રકારના વાદળાંજ છે. તેમાં પણ જે જીવ કષાય ભાવમાં વર્તતો હોય અને કદાચ પાપના આરંભને ત્યાગ કરીને ઉત્તમ વર્તોનું પાલન કરતે હોય છતાં તેવા છ કર્મોથી મુક્ત થઈ શકતાજ નથી. કેમકે વ્રતા તે પાળે છે પણ કષાય દ્વારા તે જીવમાં પાપના આશ્ર આવવાના ચાલુ જ રહે છે. આ કષાયની હૈયાતિમાં પાપના આરંભને ત્યાગ અને ઉત્તમ ચારિત્રનું આચરણ કાંઈ કાર્ય કરી શકતું. નથી. આશ્રવથી જીવને બચાવી શકતું નથી, માટે કષાયને. ત્યાગ કરવાની મુખ્ય આવશ્યકતા છે.
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy