SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ મતિઅજ્ઞાન, કૃતઅજ્ઞાન, વિગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુ દર્શન, અવધિદર્શન, ક્ષયપશમિક ભાવના દાન, લાભ, ભેગ, ઉપભેગ,વીર્ય, ક્ષયોપશમિક ભાવનું સમ્યક્ત્વ, સરાગચારિત્ર, અને દેશવિરતિ, આ અઢાર પ્રકૃતિએ શપશમભાવની છે, આમાં ઉદય આવેલ કર્મને ક્ષય થાય છે અને ઉદય નહિં આવેલી પ્રકૃતિઓને ઉપશમાવવામાં આવે છે. અથવા વિપાકદ્વારા તે પ્રકૃતિઓ ભેગવવામાં આવતી નથી પણ પ્રદેશ દ્વારા તેને ઉપભોગ કરાય છે. જેમ અગ્નિ ઉપર રાખ નાખીને અગ્નિ ભારવામાં આવે છે તેથી બાહારથી અગ્નિ દેખાતો નથી એટલે ઉપશમ છે પણ તેની બારિક વરાળ દ્વારા અગ્નિની ઉષ્મા-ગરમી બહાર આવે છે, તેમ અમુક કર્મની પ્રકૃતિ વિપાક દ્વારા ગવવા ગ્ય દબાયેલી રહે છે અને પ્રદેશ દ્વારા તે ભેગવાય છે માટે તેને ક્ષપશમ ભાવ કહે છે. આમાં પણ પ્રકૃતિને દબાવવા કે ક્ષય કરવાની જ વાત હોવાથી આ ભાવ પણ પુદ્ગલિક છે, ચેતન નથી. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી આ ચારગતિ, ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર કષાય, સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસક વેદ આ ત્રણ વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિધત્વ, કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્મ અને શુકલ આ છ વેશ્યા. આ એકવીશ ઉદયિક ભાવની પ્રકૃતિ છે. જે ગતિમાં જીવ જાય ત્યાં તેને એગ્ય આ એકવીશ પ્રકૃતિ માંહેલી પ્રકૃતિ ઉદયમાં આવ્યાજ કરે છે. આમાં પણ
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy