SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર તેના તરફ ખેંચાઈ આવીને સ્કંધરૂપે પૂલ ભાવે સંગ્રહ થાય. છે. એની સાથે, બે, ત્રણ, ચાર, સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા આશુઓ મળીને પિતાની મેળે જ સ્કંધ રૂપે પરિણમે છે તેમ જીવના શુભાશુભ પરિણામમાં પણ રાગ દ્વેષની લાગણીઓ રૂપ ચિકાશ રહેલી હોવાથી તે ચિકાશના તરફ પુદગલ પરમાણુઓ-કર્મને યોગ્ય પગલેને જશે સ્વભાવિક ખેંચાઈ આવીને તે શુભાશુભ પરિણામેની સાથે સંબંધમાં આવીને કર્મની સાથે જોડાઈને કર્મ રૂપે પરિણમી બીજ રૂપે આત્મ પ્રદેશની સાથે સત્તામાં જમા થાય છે, અને તેની પરિપકવ દશાએ ભેગવવાને યોગ્ય વખત આવ્યે તેનાં શુભાશુભ વિપાકે ઉદય આવે છે. એ ઉપરથી એ નિર્ણય થાય છે કે પુદ્ગલેને કર્મસ્વરૂપે પરિણામવવામાં અન્ય જીવાદિ કારણો નથી પણ શુભાશુભ પરિણામોની સાથે સંબંધ થતાં તે પુદગલે જ કમરૂપે પરિણમી જાય છે. જે આ પુદગલેને કર્મરૂપે પરિણમવા ન દેવાં હેય તે. શુભાશુભ પરિણામને જીવે કરવાં ન જોઈએ, પછી કારણ વિના કાર્ય થશે નહિ. આમ કર્મનાં આણુઓને આત્માની સાથે સંબંધ થાય છે છતાં ચેતના-જીવ કઈ વખત કર્મપણાને પ્રાપ્ત થત નથી તેમ કર્મ પણ ચૈતન્ય ભાવને પ્રાપ્ત થતાં નથી. પિત પિતાના ભાવમાં જીવ પુદ્ગલ અને અલગજ રહે છે..
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy