SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્ન પિઠે પડી રહે તેને ઉપશમ સમકિત કહે છે. આજ સાત પ્રકૃતિ કાંઈક દબાયેલી ઉપશમેલી સત્તામાં પડી હોય અને કાંઈક બહાર આવતી હોય તેને ભેળવીને ક્ષય કરાતે હોય તેને ક્ષયપશમિક સમકિત કહે છે. ' કર્મો આઠ છે જેને વિસ્તાર આગળ ઉપર આવશે. આ કર્મો પુગલ-જડ છે અને જીવની આત્મભાન વગરની સ્થિતિમાં રાગદ્વેષ અને અજ્ઞાનતાવાળી લાગણીથી તેને આત્મા સાથે દુધ અને પાણીની માફક સંબંધ થાય છે. તેને લીધે આત્મા ઉપર આવરણ આવે છે. આમાં પરિણામની મુખ્યતા છે જેનું બીજું નામ ઉપયોગ છે. આ શુભ અશુભ કે અશુદ્ધ ઉપગે જીવ વારંવાર પરિણમે છે, તે પરિણમવાથી ઉત્પન્ન થતા વિવિધ વિકલ અને વર્તને, તેમાંથી આ સર્વ કર્મનું મંડલ ઉત્પન્ન થાય છે. આખા વિશ્વની વિવિધતાનું કારણ પણ એ કર્મો જ છે. આ ઉપયોગને કયા ભાવે પરિણુમાવ અને કયાભાવે ન પરિણમાવ એની જાગૃતિની ક્ષણે ક્ષણે જીવને બહુજ અગત્યતા છે. શુદ્ધ ઉપયોગ જે નિરાકાર દર્શન છે, જે નિર્વિકલ્પ સ્વરૂપ છે તેમાં જ શાંતિ આનંદ અને કર્મ ક્ષય કરવાનું સામર્થ્ય છે તે સિવાયના શુભ, અશુભ અને અશુદ્ધ ઉપગે જ્ઞાન ઉપયોગે કે દર્શન ઉપયોગે પરિણમવવાથી તમામ સુખ દુઃખની ઉત્પત્તિ થાય છે. જેમ જેમ આ જીવ
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy