SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું લક્ષણ. ઉપગ એ આત્માનું લક્ષણ છે. આત્મા પિતાની શક્તિને પોતાની મેળે તથા સાધનો દ્વારા પ્રકાશ કરે છે તેને ઉપયોગ કહે છે. તે ઉપયોગ બે પ્રકાર છે. એક દર્શન ઉપગ અને બીજે જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ એટલે વસ્તુનું સામાન્ય જ્ઞાન દર્શન એટલે જેવું. જેમ કોઈ દૂરથી વૃક્ષ કે મનુષ્ય દેખાય તે દેખાયું કે જોયું કહેવાય પણ તેટલાથી તે વસ્તુની બધી બાજુનું એટલે તે દ્રવ્યરૂપ વસ્તુનું, તે ક્યા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું છે, ક્યા કાળમાં બનેલું છે, તેને રંગ, સ્વભાવવિગેરે શું છે વિગેરેનું જ્ઞાન થતું નથી, એટલે આ સ્થળે દર્શન ઉપગની સાથે જ્ઞાન ઉપગની જરૂરીયાત પડે છે. એટલે દર્શન ઉપયોગનો અર્થ આંહી એટલેજ કરવાને છે કે વસ્તુને સામાન્ય છે તે દર્શન. આ ઉપયોગ કેઈની મદદ સિવાય પિતાની મેળે પ્રવર્તે છે તેમજ ઇન્દ્રિની મદદથી પણ પ્રવર્તાવાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પૂર્ણ પ્રગટયાથી જે ઉપયોગ પ્રવૃત્તિ કરે છે તે તદ્દન નિર્મળ અને આવરણ વિનાને ઉપયોગી છે. તેને લઈને આત્મા એકજ સમયમાં આખા વિશ્વને સામાન્ય રીતે જાણી શકે છે. કર્મોનો ક્ષયથી ઉત્પન્ન થયેલા આત્માને આ લાયક ગુણ કહેવાય છે. તેને કેવલદર્શન કહે છે. કર્મના ક્ષોપશમથી એટલે કાંઈક કર્મો સત્તામાં
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy