SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ અહા! શું મોહનું જોર છે ! માછલીઓને પકડવાના કાંટા ઉપર રહેલ માંસના ટુકડા તરફ લલચાઈ રહેલી માછલીની માફક, આ વિશ્વના વિષય સુખમાંથી છુટા થવું તે મુશ્કેલી ભરેલું કામ છે. આ ભોગ સુખમાં આશક્ત થયેલા જીવો ઉત્તમ ધ્યાનને પણ ત્યાગ કરે છે અને ભાવી અ રૂપ વિષયે તરફ ઘસડાતા જાય છે આવા મેહને ધિક્કાર છે. આત્મતત્ત્વને નહિ જાણનારા, વિપરીત જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરી રહેલા, હિત અહિતના વિવેક વિના અંધ જેવા જણાતા અને વર્તમાન કાળને જ જોનારા, ભવિષ્યને વિચાર કે દરકાર નહિ કરનારા જીવે ભાવિકાળમાં અનેક યાતનાઓ-પીડાએ સહન કરતા રહે છે. અહા! આ આધિ માનસીક પીડાઓ, વ્યાધિ શારીરિક પીડાઓ, વૃધ્ધાવસ્થા, જન્મ, મરણ અને શોકાદિ ઉપદ્રવવાળા ભીષણ સંસાર તરફ એ મનુષ્યો ! જરા નજરતે કરો, એ સંસાર કેટલાં કેટલાં દુઃખોથી ભરપુર છે, છતાં પણ તે મહાધિન છે! તમે તેનાથી કેમ ઉગ નથી પામતા? તમને વૈરાગ્ય પ્રગટ નથી એ મહાન ખેદની વાત છે. પામા–-ખસના રોગ વાળા મનુષ્યો ખરજ ખણવામાં સુખમાને છે પણ પરિણામે અશાંતિ વધે છે, તેમ કેટલા એક મનુષ્ય કર્તવ્યને અકર્તવ્ય રૂપે અકર્તવ્યને કર્તવ્ય રૂપે અને દુઃખને સુખ રૂપે માને છે, પણ પરિણામે તે વિ. પરિત પ્રવૃત્તિ તેમને દુખદાઈ નિવડે છે.
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy