SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ શુદ્ધ નયની અપેક્ષાએ આત્મામાં ભેદ નથી છતાં વ્યવહાર નયની અપેક્ષાએ કર્મના સંબંધવાળા આત્માને અશુદ્ધ અને સંસારી આત્મા કહેવામાં આવે છે અને કરહિત આત્માને શુદ્ધ અને સુક્ત આત્મા કહેવામાં આવે છે. સંસારી આત્મા કર્મ યુકત છે અને મુકત - મા કર્મ વિયુકત છે, સ'સારી આત્મા અશુદ્ધ છે. મુકત આત્મા શુદ્ધ છે આત્મા અને તેથી અન્ય જે કમ તેના સંચાગ થવા, આ સયાગને ભવ ( સંસાર ) કહે વામાં આવે છે. અને આ ભવના અભાવ તેને કર્મના વિચૈાગ કહે છે આ ભવના વિયેાગ કે કર્મોના વિચે થવા પછીથી ફરી જન્મ થતા નથી. મુક્ત આત્માની સ્થિતિ. મુકતપણાની સ્થિતિમાં આત્માને પર પદાર્થના સ યોગ હાતા નથી. તે આત્મા પેાતાના સ્વભાવમાં પરિણમી રહે છે. તેને લઇને તેને કોઈપણ પ્રકારની ઉત્સુકતા હૈાતી નથી, મેરૂની માફક સ્વભાવે અડાલ સ્થિરતા હાય છે, વિભાગમાં પરિણમવાપણુ' ન હેાવાથી ત્યાં કોઈપણ પ્રકા રના કલેશ નથી. તેમજ સ્વસ્વરૂપની પ્રાપ્તિ થયેલ હેવાથી તે કૃતાર્થ થયેલ છે એટલે હવે તેને કાંઇપણુ કરવાપણુ રહેલું નથી. કર્મ રૂપ મેળ નહાવાથી તેનાથી ઉત્પન્ન થનારી ખાધા પીડાપણુ તે મને નથી, તે સિદ્ધત્મા નિર ંતર આત્માની આનદમય સ્થિતિમાં રહે છે.
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy