SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૨ અજ્ઞાની બંધાય છે ત્યાં જ્ઞાની મુક્ત થાય છે. ઈન્દ્રિના વિષયે સેવતાં જ્યાં અજ્ઞાનીઓ બંધાય છે ત્યાંજ જ્ઞાનીઓ કર્મોથી મુક્ત થાય છે આ કાંઈ જેવું તેવું આશ્ચર્ય નથી ! શુભાશુભ વિકલ્પ વડે શુભાશુભ કર્મ આવે છે પણ બેમાંથી એકે જાતને વિકલ્પ ન કરનાર સર્વ દ્રવ્ય ભેગવવા છતાં નિર્ભર કરે છે, પદાર્થને સારા કે ખોટા માનવાથી રાગદ્વેષ ઉન્ન થાય છે. રાગદ્વેષ વડે કર્મ બંધ થાય છે. અજ્ઞાની પદાર્થને ભોગ ઉપભેગ કરતાં તેમાં રાગદ્વેષ કરતે હોવાથી બંધાય છે. જ્ઞાની તે પદાર્થના ભેગેપગ વખતે મધ્યસ્થ રહે છે. ઉદાસીન રહે છે-રાગદ્વેષવાળા વિક કરતું નથી, તેથી તે બંધ પણ પામતું નથી અને જે કર્મ તેણે ભગવ્યાં તે પૂર્વનાં કમ ભેગવીને નિર્જર કરે છે. આત્માને ઉજ્વળ કરે છે. જ્ઞાનીની માન્યતા. હું કોઈને નથી અને મારું અન્ય કેઈ નથી, પદાર્થો બધા મારાથી પર છે. આ પ્રમાણે દૃઢ માન્યતાવાળ ત્યાગી ચાગી બધાં કર્મોને ધ્રુજાવે છે. મારા તારા પશુના વિકપિ દૂર થતાં આત્મા પોતાના સ્વરૂપમાં આવી રહે છે. એ સ્વરૂપ સ્થિરતાની પ્રખર ઉષ્માથી–ગરમીથી કમને રસ શેષાઈ જાય છે. રસ દૂર થતાં પવનના ઝપાટાથી સુકાં પાંદડાઓ જેમ ધ્રુજી ઉઠી નીચાં ખરી પડે છે. તેમ કમે
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy