SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ -૯૮ પાકેલાં અને નહિં પણ પાકેલાં બન્ને કર્મોની નિર્જરા થાય છે. જેમ વનમાં દાવાનળ લાગવાથી સુકાં અને લીલાં બન્ને પ્રકારનાં વૃક્ષો બળીને ભસ્મ થાય છે, તેમ ધ્યાનના અભ્યાસ વડે પાકેલાં અને નહિં પાકેલાં કર્મના સંચય બળી જાય છે ખરી પડે છે. કષાયેને દૂર કરીને જે સાધુ વિશુદ્ધ સ્થાનને અભ્યાસ કરે છે તેને કમની સકામ નિશ થાય છે. નિર્જરામાં મુખ્ય કારણું ધ્યાન છે. કષાયને ત્યાગ કરીને ધ્યાનનું આલંબન લેવાથી ધ્યાન સફળ થાય છે. જેઓ આત્મતત્વમાં રક્ત થઈ કર્મોને સંવર કરી નિત્ય ધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે તેજ કર્મની નિર્જ કરે છે. સંવર કર્યા વિના સાધુને પણ સકામ નિર્જરા થતી નથી, ખરી વાત છે કે નવું પાણી આવ્યાજ કરતું હોય તે સરોવર કયાંથી ખાલી થાય ? જે સરોવરમાં નાળા દ્વારા પાણી આવ્યા કરતું હોય તે સરોવર ખાલી થઈ શકતું નથી, તેમ જ્યાં સુધી કષાયાદિ દ્વારા જીવ રૂપ સરોવરમાં કમ રૂપ પાણી આવ્યા કરતું હોય ત્યાં સુધી આત્મારૂપી સરેવર કેવી રીતે ખાલી થઈ શકે ? અથત ન થઈ શકે. અર્થાત આવતાં કર્મને અટકાવવારૂપ સંવર કરવામાં ન આવે ત્યાં સુધી સકામ નિર્જરા થતી નથી. આત્માનાં સ્વભાવરૂપ જ્ઞાનદર્શન ચારિત્રનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવાથી કર્મને ક્ષય થાય છે. દયાનમાં મનની મુખ્યતા છે, તે મન જડ માયામાં વારંવાર દેખાદેડ કરે
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy