SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ _ ___ _ _ _ _ _ _ ___ _ _ - - [ ૬૬ ] ___ગૃહસ્થ ધર્મ (પોતાને જરૂરીયાતવાળી દિશામાં તેનો વધારો કરી તે તરફ) જવું તે દિશા વૃદ્ધિ અતિચાર છે. અતિચાર એટલા માટે કે યોજનાનું માપ સરખું રાખ્યું એ બાહ્ય દષ્ટિએ અતિચાર છે, નિયમિત દિશામાં પ્રમાણથી અધિક ગમન કરતાં વ્રતનો ભંગ થાય છે, છતાં ઉપરની અપેક્ષા ધ્યાનમાં લેતાં તે અતિચારરૂપ ગણેલ છે. પ. સ્મૃતિનો નાશ જવાની ઉતાવળને લીધે, પ્રમાદથી અથવા મતિના વિધ્યમથી સ્મરણમાં રહે નહિ કે મેં સો કે પચાસ યોજનાનો નિયમ રાખેલ છે. અથવા આગળ જતા સંદેહ પડે અને પચાસ યોજન સ્મૃતિમાં હોય તેથી અધિક ગમન કરતાં અતિચાર લાગે અને અનિશ્ચિત સો યોજન જે મનમાં-સ્મૃતિમાં હતા તેથી અધિક ગમન કરતાં વ્રત ભંગ થાય. * અતિચાર સર્વ વ્રતોને વિષે સાધારણ છે, છતાં પણ અહીં પાંચની સંખ્યાની પૂર્તિ અર્થે લખેલ છે. લીધેલ વ્રતોમાં ભૂલ ન થાય માટે વારંવાર તેનું સ્મરણ કરવું યાદ રાખવાં) સ્મૃતિના નાશથી વ્રતનો નાશ થવાનો પ્રસંગ આવે છે. (સાતમું ભોગીપભોગ વ્રત ) उवभोगो विगइओ तंबोलाहार पुष्क फलमाई । परिभोग वथ्थुसुवन्न माझ्यं इथ्थिगेहाई ॥ १ ॥ - એક વસ્તુ એકવાર ભોગવાય-ઉપયોગમાં લેવાય તે વિકૃતિ આદિ (ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ અને પકાવેલ તળેલ વસ્તુ) તથા તંબોલ, આહાર, (ભોજન પાણી) પુષ્પ ફળાદિ તે ભોગ વસ્તુ કહેવાય છે અને એકની એક વસ્તુ તેની વસ્તુ વારંવાર ભોગવાય તે ઉપભોગ કહેવાય છે, વસ્ત્ર, સોનું, સ્ત્રી ઘર ઈત્યાદિ. ૧. આ વ્રતના બે ભેદ છે : એક ભોગ અને બીજો કર્મ. તેમાં
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy