SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ જ જીવન ચારિત્ર છે, ચારિત્રની છેલ્લી હદમાં જ પૂર્ણ પરમાત્માસ્વરૂપ પોતાનો આત્મા થઈ ને રહે છે. આ ચારિત્રનું પ્રાપ્તવ્ય છે અને તેની શરૂઆત ઘણા જ નાના પાયા ઉપર આ ગૃહસ્થ ધર્મમાં કરવામાં આવેલી છે. ત્યાગમાર્ગમાં તેની શરૂઆત વધારે વિસ્તારથી થાય છે. અપ્રમત્તદશાસ્વરૂપ દશામાં તેની પૂર્ણાહુતી થાય છે. આ ઉપરથી કહેલી પ્રાપ્તવ્યવાળી દિશા ધ્યાનમાં રાખીને તે માર્ગની અહીંથી શરૂઆત કરવામાં આવે છે. ત્યાગમાર્ગમાં તેની શરૂઆત વધારે વિસ્તારથી થાય છે. અપ્રમત્તદશા-સ્વરૂપ દશામાં તેની પૂર્ણાહુતી થાય છે. આ ઉપર કહેલી પ્રાપ્તવ્યવાળી દિશા ધ્યાનમાં રાખીને તે માર્ગની અહીંથી શરૂઆત કરવામાં આવે છે. શરૂઆતમાં પોતાના લક્ષ પ્રાપ્તવ્ય સામી આંતરદૃષ્ટિ રાખીને આ ગ્રંથમાં બતાવેલી દરેક ક્રિયા પોતાની યોગ્યતાના પ્રમાણમાં કરવા માટે લાગણીપૂર્વક પ્રયત્ન કરવો. આ ભૂમિકામાં ઘણા અંતરાયો દૂર કર્યા પછી. ઘણી મલીન વાસનાઓ ઓછી કર્યા પછી અને શુભ સંસ્કારનો વધારો કર્યા પછી અપ્રમત્તતાવાળી શુદ્ધ દશામાં પ્રવેશ કરી શકશે. અને સર્વ કર્મનો નાશ તેવી દશા-લાયકાત પ્રાપ્ત થયાથી કરી શકાશે. આ કહેવા ઉપરથી ગ્રંથના અધિકારી કોણ છે તે વાત કહી બતાવી છે. આ ગ્રંથનો ઉદ્દેશ પણ મલીન વાસનાનો ત્યાગ કરવાપૂર્વક સાધકોએ અપ્રમત્ત દશાને લાયક થવું તે જ છે તે બાબતનાં સાધનોનો ઉલ્લેખ આ નાનાંસરખા ગ્રંથમાં બન્યો તેટલો કરવામાં આવેલ છે.
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy