SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થ ધર્મનું પહેલું વ્રત ગૃહસ્થ ધર્મનું પહેલું વ્રત-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત ૧ [ ૪૧ ] નિરપરાધી, ત્રસજીવોને આરંભના કાર્ય સિવાય નિરપેક્ષપણે સંકલ્પીને મારવા નહીં. અને બીજા જીવો તરફ निर्ध्वस परिक्षाम न राजतां जने त्यां सुधी तेभनो पा યથાશક્તિ બચાવ કરવો. ૧. આ પહેલા વ્રતમાં પાંચ અતિચાર-દૂષણ લાગવા સંભવ છે. તે ન લાગે તે માટે સાવચેતી રાખવી. અતિચાર એટલે લીધેલ નિયમ પ્રમાણે વ્રતનું ખંડન થયું ન હોય તોપણ વ્રતને મલિન ક૨ે તેવા પરિણામ થઈ આવવા તે. આવા પરિણામથી પાછું હઠવામાં ન આવે અને નિરંતર તે મલિનતામાં વધારો થતો રહે તો લીધેલું વ્રત ભાંગવા સુધીમાં છેવટનું પરિણામ આવે છે. માટે સાંજ સવાર બે વખત પોતાનું જીવન-કર્તવ્ય તપાસી જવું કે તેમાં આ દોષો ભૂલમાં કે ઉતાવળમાં લાગ્યા ન હોય. અતિચાર લાગ્યા હોય તો તરત જ માફી માગી, પ્રાયશ્ચિત કરી. ફરી તેમ ન થાય તે માટે સાવચેતી રાખવી. આ માટે જ બે વખત પ્રતિક્રમણ કરવાનું જણાવવામાં આવે છે. પહેલા વ્રતના પાંચ અતિચાર (૧) તિવ્ર કોપથી, મરી જશે તેની પણ દરકાર કર્યા સિવાય મનુષ્ય તથા જનાવરને બાંધવા તે. (૨) વિના પ્રયોજને ક્રોધના આવેશથી ચામડી છેદવી. (રોગને કારણે તેના ભલાને માટે તેમ કરવું પડે તેમાં હરકત નથી.) (૩) જનાવરો કે મનુષ્યો ઉપર તેમની શક્તિ કરતાં વધારે ભાર ભરવો કે ઉપાડાવવો.
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy