SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ –––––––––––– ગૃહસ્થ ધર્મ ભારત રાગદ્વેષની પરિણતિ ઘણી જ મંદ થવાથી, ઉપશમ થવાથી કે ક્ષયોપશમ થવાથી જડ ચૈતન્યના વિવેકરૂપ સમ્યફ આત્મ શ્રદ્ધાન પ્રાપ્ત થયા પછી, વિવિધ પ્રકારની ઈચ્છાઓનો સર્વથા નિરોધ કરવાનું ન બની શકે તેમણે નિયમિત રીતે કર્મ બંધના કારણરૂપ ઈચ્છાઓને મર્યાદામાં મૂકવા માટે દેશથી અમુક અંશે ઇચ્છાના નિરોધરૂપ વિરતિ અંગિકાર કરવા માટે બારવ્રતો ગ્રહણ કરવાં. આ બારવ્રતો ગૃહસ્થ ધર્મના અલંકારરૂપે છે. સદ્ગતિના કારણરૂપ છે અને આવતાં નવીન કર્મને દેશથી થોડે ભાગે પણ રોકી શકે છે. (બારવ્રતના નામો) (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (૬) દિશા પરિમાણ વ્રત (૭) ભોગપભોગ નિયમ વ્રત (૮) અનર્થ દંડ વિરમણ વ્રત (૯) સામાયિક કરણ વ્રત (૧૦) દેશાવકાશિક વ્રત (૧૧) પૌષધદ્રત (૧૨) અતિથિ સંવિભાગ વ્રત આ બારવ્રતો છે. પહેલાં પાંચને અણુવતો કહે છે. પછીનાં ત્રણ ગુણ વતો છે અને છેલ્લાં ચાર શિક્ષાવતા છે. અણુ એટલે નાનાં વ્રતો. ત્યાગ માર્ગનાં મહાવ્રતો કરતાં આ વ્રતો નાનાં હોવાથી તેને અણુવ્રતો કહે છે. પાંચ અણુવ્રતોને પોષણ આપવા રૂપગુણ કરનાર ત્રણ વતો હોવાથી તેને ગુણવ્રતો કહે છે, છેલ્લાં ચાર વારંવાર આદરવા માટે શિક્ષારૂપ હોવાથી શિક્ષાવ્રતો
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy