SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨ ] ગૃહસ્થ ધર્મ –– ––––––૯ નહિતર કર્મ બંધનાં સ્થાનો ગણાશે. ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ ગુરુમહારાજને દૂરથી જોતાં બે હાથ જોડી મસ્તક નમાવી “મFએણવંદામિ' બોલવું, ત્યાર પછી ગુરુથી સાડા ત્રણ હાથ ઓછામાં ઓછા દૂર ઊભા રહી પંચાગ પ્રણામે કરી વંદન કરવું. બે હાથ, બે પગ અને મસ્તક આ પાંચ જમીન ઉપર એકીસાથે નમાવવાં તે પંચાગ પ્રણામ કહેવાય છે. પ્રથમ મુખ્ય (મોટા) સાધુ-ગુરુને નમસ્કાર કર્યા બાદ બીજા સાધુઓને નમસ્કાર કરીને ત્યાં તમારા પહેલાં કોઈ શ્રાવકો આવ્યા હોય તો તેને હાથ જોડી નમસ્કાર કરી, પછી યોગ્ય સ્થાન કે વ્યાખ્યાન સાંભળવા માટે ગુરુ સન્મુખ બેસવું. તમારા પહેલાં ધર્મસ્થાનમાં ધર્મક્રિયા માટે જે પુરુષ આવ્યા હોય તે આજના દિવસ માટે તમારાથી મોટા છે; કેમ કે ધર્મ ક્રિયામાં વ્યવહારથી ફારગત થઈ તેણે આજે વહેલો પ્રવેશ કરેલો છે, માટે તેને “સર્વ શ્રાવક વંદુ આ પ્રમાણે કહી તેમના તરફ હાથ જોડી મસ્તક નમાવી પછી ધાર્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરવી. આ સાધાર્મિક વિનય કહેવાય છે. ગુરુની કોઈ પણ પ્રકારે આશાતના, અવિનય ન થાય તેવી રીતે બેસવું જોઇએ. બે પગ, લુગડાં કે હાથથી બાંધીને બેસવું. પગ લાંબા કરવા, પગ ઉપર પગ ચડાવવા, પાછળ બેસવું, મોઢા આગળ બેસવું, પડખે બેસવું. અથવા તે પ્રસંગે કોઈ માણસ આવ્યો હોય તો તેને ધાર્મિક જરૂરિયાત વિના બોલાવવો એ વગેરે ગુરુની અવજ્ઞા કે અશાતના ગણાય છે. માટે તે આશાતનાનો ત્યાગ કરવો. ગુરુના સન્મુખ બેસી, ગુરુના મુખ ઉપર દષ્ટિ રાખી, એકાગ્ર ચિત્તથી ધર્મનું વ્યાખ્યાન શ્રવણ કરવું. સાંભળવા થકી ધર્મ સમજાય છે. સાંભળવાથી જ દુર્મતિનો ત્યાગ કરાય છે. જ્ઞાનની પ્રાપ્તિ અને વૈરાગ્યની સ્થિતિ, આ સર્વ
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy