SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થ ધર્મ _ _ _ _ ___ _ _ _ _ _ _ _ _ _ _ " ૯ [ ૨૦ ] સંભવ રહેશે નહિ. આ રિયા વખતે જે શબ્દોનું ઉચ્ચારણા કરવા તે શબ્દોના અર્થમાં બરોબર લક્ષ આપવાથી હલકા વિચારોને આપવાનો અવકાશ ઘણો ઓછો રહે છે. સમભાવની પ્રતિજ્ઞાનો પહેલો આવશ્યક આવ્યા પછી, બીજો આવશ્યક ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરવાનો આવે છે. આમાં ચોવીશે તીર્થકરોને યાદ કરવા સાથે તેમને નમસ્કાર કરવાનું અને તેમની સ્તુતિ કરવાનું આવે છે. શરૂઆતમાં સમભાવની પ્રતિજ્ઞા કરી છે તેથી भन पवित्र थाय छे तथा योवीश तीर्थंडर देव के पोताना ઈચ્છે છે તેમની સ્તુતિ-મસ્કાર કરવાથી, હદય પહેલાંથી વધારે પવિત્ર બને છે. મનની સ્થિરતા ઘણી સારી થાય છે. ત્યાર પછીના ત્રીજા આવશ્યકમાં ગુરુ વર્ગને નમસ્કાર કરવામાં વંદન કરવામાં આવે છે. ગુરુઓ અત્યારના ચાલુ પણ વધારે ઉપકારી છે. તેમને સુખશાંતિ પૂંછવા સાથે નમસ્કાર કરી પોતાથી કોઈ પણ રીતે અજાણતાં પણ કાંઇ આશાતના-અપરાધ થયો હોય તેની ક્ષમા યાચવી, પોતાના હૃદયથી પશ્ચાત્તાપ કરવો અને તેમના ગુણોની અનુમોદના કરવી, આ ગુરુવંદન છે. ગુણાનુરાગથી, ગરુ ઉપરના પ્રેમથી હદય વધારે પવિત્ર બને છે. ત્યાર પછી ચોથા આવશ્યકમાં પ્રતિક્રમણ આવે છે. ગૃહસ્થધર્મને લાયક વ્રત, નિયમો જે જે લીધેલાં હોય તેમાં કયાં કયાં દોષ લાગ્યો છે તેંદોષો સાંજના વખતે પ્રતિક્રમણ કરાતું હોય તો દિવસના ભાગમાં લાગેલ દોષો યાદ કરવા અને પ્રભાતે પ્રતિક્રમણ કરાતું હોય તો રાત્રિના ભાગમાં લાગેલા દોષોનો વિચાર કરી જવો. જો દોષ લાગ્યો હોય તો તેની માફી માંગવી, પશ્ચાત્તાપ કરવો, ફરી દોષ ન લાગે તે માટે નિશ્ચય કરવો, જેમણે ગૃહસ્થ ધર્મને લાયક બાર વ્રતાદિ લીધેલ
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy