SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ પ્રકારનો જાપ [ ૯ ] दिशा तरभुज राजी स्थिर थित्ते परमात्मानुं स्मराश उर. અહીં કોઈ શંકા કરે કે શરીર પવિત્ર ન હોય, વસ્ત્ર શુદ્ધ ન હોય અને મુકામ અલગ ન હોય તો શું પરમાત્માનું સ્મરણ ન કરવું? આનો ઉત્તર એ છે કે બધી સગવડ હોય તો તેમ જ કરવું, પણ તેવી સગવડ ન હોય તો પછી ગમે તેવી રીતે પણ પરમાત્માનું સ્મરણ તો અવશ્ય કરવું જ જોઈએ, લુગડાં સારાં ઊંચા ન હોય તો પછી હલકાં પણ પહેરવાં જ જોઈએ. સારું ખાવાનું ન મળે તો પછી સાદું ભોજન પણ કરવું. ભૂખ્યા તો નજ મરવું જોઇએ. આજ ન્યાયે તેવી સગવડ ન હોય તો પછી ગમે તેમ પણ સ્મરણ તો કરવું જ. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે, अपवित्रः पवित्रोवा सुस्थितो दुःस्थितोऽपिवा ध्यायन्यंचनमस्कारं सर्वः : पापैः प्रमुच्यते. १ (ઉપર કહેલ સાધનની સગવડતા ન હોય તો) અપવિત્ર હોય કે પવિત્ર હોય. નિરોગી હોય કે રોગી હોય, પંચનમસ્કારનું ધ્યાન કરતાં સર્વ પાપથી મુક્ત થવાય છે. કોંધ: વિશેષ એ છે અપવિત્ર વસ્ત્રો કે શરીરવાળાએ તે જાપ હોઠ ન ચાલે તેમ મનમાં કરવો. ઉત્તમ પ્રકારનો જાપ જાપ ત્રણ પ્રકારે થાય છે : ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. પાની વિધિ વડે જાપ કરવો તે ઉત્કૃષ્ટ-ઉત્તમ જાપ કહેવાય છે. કેમ કે તેમાં ચિત્તની એકાગ્રતા થાય છે. મન ઠરે છે. હલકા વિચારો આવી શકતા નથી. તેથી તેનો લાભ પણ વધારે મળે છે. તે જાપ આ પ્રમાણે કરાય છે. તમારા હૃદયમાં એક આઠ પાંખડીનું કમળ ચિંતવો અને તેની અંદરના ભાગમાં બરાબર સિદ્ધચક્ર આવેલાં છે તેમાં નવપદોને સ્થાપન કરો એટલે વચમાં અરિહંત, ઉપર
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy