SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યનો સદુપયોગ (સાત ક્ષેત્ર) [ ૧૮૧ ] દેખાતે તે વર્ગ જ્ઞાન ધ્યાનમાં આગળ ચડેલો હશે તો ગૃહસ્થોને તે ધર્મોપદેશ દ્વારા વધારે આગળ ખેંચી શકશે. સમાજ અને કોમમાં સુધારો કરશે અને શ્રાવક વર્ગમાં નવું જીવન તે રેડશે. આ સ્થિતિએ તેઓ પહોંચે તેટલે દરજ્જ તેમને કેળવવામાં પહેલાં મદદગાર થવાની જરૂર છે. વૃક્ષ વાવીને સાર સંભાળથી ઉછેર્યા પછીથી જ તેના મીઠાં ફળ ખાવાની આશા રાખવી. કદાચ તત્કાળ ફળ તે આપે તેવા ન પણ હોય અને તમને તેનાથી ફળ મેળવવાનો પ્રસંગ ન પણ આવે તોપણ તે સાધુ સાધ્વીરૂપ વૃક્ષને ઘણી સંભાળપૂર્વક ઉપયોગી રીતે પાણી સિંચતા જ રહેવું કે જેથી કાળાંતરે તમને નહિ તો તમારા વારસદારોને પણ તેના મીઠાં ફળો ખાવાનો પ્રસંગ મળશે. પણ સ્વાર્થી થઈને તે ઝાડને પાણી પાવું બંધ કરી ઉખેડી કે સુકવી નાંખશો તો તમે અને તમારો પરિવાર કાયમને માટે તેના ફળોથી બેનસીબ રહેશે. જરૂરિયાતના પ્રમાણમાં આ ક્ષેત્રમાં પૈસા ખર્ચવો. જો આ ક્ષેત્રમાં જરૂરિયાત ન જણાય તો તે પૈસો આના કરતાં વધારે નબળી સ્થિતિમાં આવી પડેલાં બીજા ક્ષેત્રોમાં ખર્ચવો, પણ એવો આગ્રહ ન કરવો તે આમાં જ ખર્ચવો અને બીજામાં નહિ. શ્રાવક-શ્રાવિકા) આ બને ક્ષેત્રો પર ધર્મનો મુખ્ય આધાર છે. કારણ સાધુસાધ્વી પણ આ ક્ષેત્રમાંથી ઉત્પન્ન કરાય છે. પ્રતિમાજી, દેરાસર અને જ્ઞાન એ પણ આ સંઘની હૈયાતિ હોય તો જ ઉપયોગી છે અને તે પાંચ ક્ષેત્રોને પોષણ આપનાર આ બંને ક્ષેત્રો છે. આ હોય તો જ બીજા હોય અને આનો નાશ થાય તો સર્વનો નાશ જ થાય. આ ઉપરથી નિશ્ચય કરાય છે કે જેટલો આ ક્ષેત્રનો વિસ્તાર
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy