SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્દનઃ | ગૃહસ્થ ધર્મ ગૃહસ્થી પ્રભાત નમસ્કારમંત્રનું સ્મરણ મનુષ્યોએ રાત્રિના છેલ્લા પ્રહરે નિંદ્રાનો ત્યાગ કરવો. તેટલું વહેલું ન ઉઠાય તો પાછલી ચાર ઘડી રાત રહે ત્યારે તો જરૂર જાગવું જોઈએ, વધારે ઊંઘવું તે તો અજ્ઞાનને વધારનારું કામ છે. આળસપ્રમાદ વધવાથી દારિદ્રમાં પણ વધારો થાય છે. ખોરાક અને નિંદ્રા જેટલા વધારીએ તેટલા વધે છે અને ઓછા કરીએ તેટલાં ઓછાં થાય છે. આંખોમાંથી ઊંઘ ઉડી જતાં તરત પથારીમાં પથારીમાં જ નવકારમંત્ર ગણવા શરૂ કરી દેવા. આ વખતે શરીર કે લુગડાં ચોખ્ખાં ન હોય તો પણ મનમાં હોઠ ન હાલે તેવી રીતે નવકારમંત્ર ગણવામાં જરાપણ ઢીલ ન કરવી. કેમ કે ઊંઘ ઉડી જાય કે તરત જ નવકાર મંત્ર ગણવામાં ન આવે તો બીજા વિચારો મનમાં આવી જાય છે. તમને એ વાતની તો ખબર જ હશે કે કોરા વાસણમાં જે વસ્તુ ભરવામાં આવે છે તેની વાસ તે વાસણમાં બેસી જાય છે. જો લસણ, ડુંગળી, વઘારણી કે તેવી જ વસ્તુ કોરા વાસણમાં ભરી હોય તો પછી તે વસ્તુ કાઢી લીધા પછી પણ તે વાસણમાંથી તેની વાસ જતી નથી. આ જ પ્રમાણે જો તે કોરા વાસણમાં કેશર, બરાસ, કસ્તુરી કે તેવી જ કોઈ ઉત્તમ વસ્તુ ભરી કે મૂકી હોય તો તે વાસણમાંથી તે વસ્તુ
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy