SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થ ધર્મ - ~ ~ - ૯ [૧૧૬ ]. જ્યારે અનુકૂળતા હોય ત્યારે પાછલી રાત્રીએ કે પ્રભાતે કોઈ એક સ્થળે શાંતપણે પૂર્વ કે ઉત્તરના સન્મુખ પદ્માસન કરીને અથવા પલાંઠી વાળીને બેસવું. રોગીએ સૂતાં સૂતાં પણ આ પૂજા કરવી. મનમાંથી બધા હલકા વિચારોને કાઢી નાખી. બે ચાર મિનિટ સુધી નવકાર મંત્રનું સ્મરણ કરવું ત્યાર પછી જેવી રીતે નિરંતર સ્નાન કરી શુદ્ધ થાઓ છો તેમ મનથી સ્નાન કરી શુદ્ધ થવું, ત્યાર પછી એક દેરાસરની કલ્પના કરવી. તેમાં તમે ઊભા છો. સન્મુખ એક સુંદર પ્રભુની મૂર્તિ રહેલી છે તે તમારા મનથી તમે જુઓ. જે મૂર્તિ કે દેરાસર તમને વધારે પરિચિત હશે તે તમારા મનમાં વહેલું દેખાવ આપશે તે પ્રભુની પ્રતિમાજી તમે આંખો બંધ કરી ધારી ધારીને દેખો. તેનો ભાસ તમારા મનમાં પડે ત્યાર પછી તે પ્રતિમાજીને દૂધનું હવણ કરી, નિર્મળ પાણીથી સ્નાન કરાવો. પછી અંગલુણાથી અંગ લૂછી નાખી, માનસિક કલ્પનાથી ચંદન આદિ સામગ્રીથી નવ અંગે તિલક કરો, શરીરે ચંદનનો લેપ કરો, ધૂપ ઉખેવો, દીપક કરો, પુષ્પ ચડાવો, સાથીઓ કરો, નૈવેદ્ય ધરાવો, ફળ મૂકો. આ પ્રમાણે પૂર્વે કહી આવ્યા છીએ તેવી ઉત્તમ ભાવના સાથે, ઉત્સાહિત માનસિક લાગણીઓપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરો. ત્યારબાદ ત્રણ ખમાસમણાં આપી, જો વડતું હોય તો ચૈત્યવંદન, સ્તવન વગેરે મનથી બોલો કહો. જેવી રીતે દ્રવ્યપૂજા કરો છો તેવી રીતે મનથી તે પરમાત્માની પૂજા કરવી, ત્યારબાદ જેટલી તમને સ્થિરતા હોય તે પ્રમાણે મનથી, આંતરદૃષ્ટિથી તમારા સન્મુખ મનમાં દેખાતી તે મહાપ્રભુની શાંત મૂર્તિ સન્મુખ એક દષ્ટિથી જોયા કરો. તેમાં એટલા બધા સ્થિર થઈ જાઓ કે તમારા દેહ શુદ્ધાનું ભાન તેટલા વખત માટે ભૂલાઈ જાય, સામેની મૂર્તિ પણ તમારા મનમાંથી અદૃશ્ય થઈ જાય, તે પ્રભુના શુદ્ધ સ્વરૂપ
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy