SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૪ ] ગૃહસ્થ ધર્મ ૩||ગૃહસ્થના ચૌદ નિયમ सचित्त दव्वविगई, वाणह तंबोलवथ्थ कुसुमेसु. वाहण सयण विलेवण, बंभ दिसि न्हाणभत्तेसु ॥ १ ॥ (૧) સજીવ (૨) દ્રવ્ય (૩) વિગય (૪) ઉપાનહ (પ) તંબોલ (૬) વસ્ત્ર (૭) કુસુમ (૮) વાહન (૯) શયન (૧૦). વિલેપન (૧૧) બહ્મચર્ય (૧૨) દિશિ (૧૩) સ્નાન (૧૪) ભોજન આ ચૌદ નિયમો છે. (૧) સજીવ : પૃથ્વી-માટી, મીઠું વગેરે અમુક પ્રમાણ જેટલી ખપે તેનો નિયમ રાખવો. સચિત્તપાણી-પીવા તથા સ્નાન કરવામાં આવે તેનું પ્રમાણ. સચિત્ત અગ્નિ-ચુલા, સગડી વગેરેનો નિયમ. સચિત્તવાયુ-પંખાદિનો નિયમ. સચિત્ત વનસ્પતિ-અમુક અને તોલમાં આટલી ખાવી તેનો નિયમ. (૨) દ્રવ્ય : ખાવાપીવાના પદાર્થો-દશ, વીશ કે ઇચ્છાનુસાર તેની ગણતરી રાખવી. (૩) વિગય : ઘી, તેલ, દુધ, દહીં, ગોળ અને કડાવિગય (તળેલ પદાર્થ) એ છ વિગય કહેવાય છે તેમાંથી એક, બે કે ચારનો ઇચ્છાનુસાર ત્યાગ કરવો. ખાવામાં ન લેવી તેનો નિયમ રાખવો. (૪) ઉપાનહ :પગરખાં, મોજાં વગેરે પગમાં પહેરવાની જોડનો નિયમ રાખવો. તે ઉપરાંત તે દિવસે પહેરાય નહિ કોઈના પગરખામાં પગ નાખે કે પહેરે તો તે પણ ગણતરીમાં ગણાય. (૫) તંબોલ : પાન, સોપારી, એલાયચી ઇત્યાદિ મુખવાસનું તોલથી માપ રાખવું. (6) વસ્ત્ર : દિવસમાં પહેરવામાં કેટલા વસ્ત્રો ઉપયોગમાં લેવા તેની અમુક સંખ્યા-ગણતરી રાખવી.
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy