SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આચારને દર્શાવતું વિવરણ એટલે શ્રી દશવૈકાલિક સૂત્રનો સરલ, સુંદર અને સુગમ ભાષામાં ભાષાંતર કરેલ છે. ત્યારબાદ દેશ વિરતિના આચારને દર્શાવતા આ ગ્રંથનો (ગૃહસ્થધર્મનો) આલેખન કરેલ છે. લેખક શ્રીની શૈલી બહુ જ મનોહર, સરલ તથા શીધ્ર બોધ આપનારી હોવાથી વાચક વર્ગને અત્યંત ઉપયોગી છે. આ ગ્રંથમાં શ્રાવકોના ૧૨ વ્રત, આચાર તથા વ્રતોને લાગતાં અતિચારોનો સુંદર વર્ણન કરેલ છે. આચાર પરિચય, દોષ ક્ષય, આચાર શુદ્ધિ આદિ અનેકવિધ ઉપયોગી આ ગ્રંથની અત્યાર સુધીમાં શ્રી કમલ કેશર ગ્રંથમાલાએ અનેક આવૃત્તિઓ બહાર પાડીને ભવી જીવોના જીવનમાં વિશિષ્ઠ પ્રકાશ પાથરેલ છે. તેની ઉપયોગીતા તથા ઉપાદેયતાનો ખ્યાલ રાખીને પૂ. ગુરૂદેવશ્રીએ શ્રી કેશર ચંદ્ર-પ્રભવ ગિરિવિહાર ગ્રંથમાલાના માધ્યમથી આ ગ્રંથ પુનઃ પ્રકાશિત કરેલ છે. તે સહુ કોઈ ભવી જીવો આ ગ્રંથરત્નનો સ્વાધ્યાય કરી આચાર શુદ્ધિ વડે સ્વ-પરના હિતને સાધીને શીધ્ર સિદ્ધિને પામે એજ મંગલ કામના સાથે. પૂજ્ય પાદ શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. નો પાદ પઘરેણું મુ. વિજ્ઞાન પ્રભ વિજય.
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy