________________
બાવીશ અભક્ષ્ય (૧) વડના ટેટા, (૨) પીંપળાના ગુંદા જેવા ફળ, (૩) પિલંબનના ફળ, (૫) કઠુંબરનાં ફળ, (૬) ગુલર-ઉદ્બરના ફળ, (૬) માંસ, (૭) મદિરા-શરાબ, (૮) મધ, (૯) માખણ, (૧૦) અફીણ વગેરે ઝેરી ચીજો, (૧૧) બરફ, (૧૨) કરા, (૧૩) બધા પ્રકારની સચિત્ત માટી, (૧૪) રાત્રિભોજન, (૧૫) બહુબીજવાળા ફળફળાદિ જેવા કે રીંગણ, પંપોટા, ખસખસ, વગેરે, (૧૬) અથાણું, (૧૭) દ્વિદલ-કાચા દૂધ, દહીં અથવા છાસની સાથે ચણા, મગ, અડદ વગેરે દ્વિદલવાળાં કઠોળ મેળવીને ખાવું. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આવા દ્વિદળમાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. (૧૮) ઘોલવડાં- દહીંનો ઘોલ કરીને તેમાં નાખવામાં આવેલાં વડા. ઘોલને જો ગરમ કર્યા પછી તેમાં વડાં નાખવામાં આવ્યાં હોય તો તે અભક્ષ્ય નથી. (૧૯) તુચ્છ ફલ, (૨૧) અજાણું ફલ, (૨૧) ચલિત રસ - જે ભક્ષ્ય પદાર્થના - રસ, વર્ણ, ગંધ આદિ બદલાઈ જાય તેવા વાસી સડેલા પદાર્થ તથા (૨૨) કંદમૂળ વગેરે અનંતકાય.
કંદમૂળ આદિ અનંતકાયના ભક્ષણથી અનંત જીવોની 'હિંસા થાય છે. માટે એનો પણ ત્યાગ કરવો. એના બત્રીશ ભેદ નીચે મુજબ છે. બત્રીસ અનંતકાય
, (૧) ભૂમિકંદ જે જમીનમાં ઉત્પન્ન થાય છે, (૨) સૂરણકંદ, (૩) વજકંદ, (૪) લીલી હળદર, (૫) લીલું આદુ, (૬) લીલો કચૂરો, (૭) વિરલીકંદ, (૮) શતાવરી, (૯) કુંવારનું પાઠું, (૧૦) ભુરીયા, (૧૧) ગિલોએ, (૧૨) લસણ, (૧૩) વંશ કારેલા, (૧૪) ગાજર, (૧૫) લાણા જેનું શાક બને છે, (૧૬) લોઢાકંદ, (૧૭) ગિરિકરણિ