SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જાગ્રતિ આપનારા બળની વૃદ્ધિ કરનારા છે. તેના કર્મ મળને નાશ કરનારા છે. જગની આવી સેવા કરતાં તેઓ માર્યા પણ ગયા છે. તેઓ ગગન વિહારી છે. તેમને દેહભાન હેતું નથી. તેઓ આપણને પોતાના દા ખલાથી શીવભાન ઉત્તમોત્તમ છે તે બતાવી આપે છે. ૨૭ અન્યને દેખીને જે સુખ દુઃખ થાય છે તેનું કારણ છે તેમાં આપણે આત્માને જે છે તેટલે દેહભાવ આપણે ગમે છે. પ્રેમનાં કુંડાળાં પણ કેટલીક વખત બંધાઈ જાય છે તે બીજા તરફ ઠેષ ઉત્પન્ન કરનાર છે, તે આપણને વિદનરૂપ છે તે સ્વતંત્ર પ્રમાણમાં નડતર રૂપ છે. છતાં પેલું પગલું તે છેજ. ૨૮ ધર્મનું રહસ્ય આત્માને ગુરૂ પાસે ઓળખો. સર્વમાં આત્મભાન થાય તે તેની પૂર્ણાહુતી છે. ૨૯ પ્રથમ સમાનતાનું જ્ઞાન થાય છે તે સામાન્ય જ્ઞાન તેને દશન કહે છે. પછી દરેક સાથે વ્યક્તિનું જ્ઞાન થાય છે કે આ પણ એવું છે આ પણ એવું છે. એવું વિશેષ જ્ઞાન થાય છે. ૩૦ અંતર્ આત્મજ્ઞાન સામે થવું તેજ પાપ છે. હુંની ટુંકી વૃત્તિની કુરણ થવી તે પાપ છે. મનને ગમે તેવી પ્રવૃત્તિ તે પાપ છે. આત્મભાન ભુલાવું તે પાપ છે. ૩૧ અંદરથીજ પ્રકાશ પ્રગટ થવાને છે, બહારનું ગમે
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy