SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મને મર્મ [ ૧૦૧ muuuunnnnnnom www “ગુરુજી! આજે આપ આ કામ કેમ કરે છે ?” “હું મેડો ઉડ્યો હતે તેથી. સરળભાવે આચાર્યો જવાબ આપે. પણ આ નિયમ તે વિદ્યાર્થીઓને લાગુ પડે છે, આપને લાગુ પડતો નથી.” ધર્માનંદ કોસંબીએ કહ્યું. તરત જ આચાર્યશ્રીએ પ્રત્યુત્તર વાળ્યો. “આયુષ્યમાન્ ! આપણે જે કાયદા કરીએ છીએ તે કંઈ તેડવા સારૂ કરતા નથી. સારા કાયદાઓને માન આપીને આપણે ચાલીએ તે અવશ્ય આપણી ઉન્નતિ થાય છે.” નિયમના પાલન માટે નિયમ કરનારની જવાબદારી વધુ છે, તેમ ધર્મના પાલન માટે પોતાને ધર્મી કહેવરાવનારની જવાબદારી વધુ છે. * ધમની હાંસી જ દર્શન, વંદન, પ્રાર્થના, જપ, પૂજા, સામાયિક આ બધી ક્રિયાઓ મહત્વની છે. પરંતુ તમે માત્ર બાહ્યપણે આ ક્રિયાઓ કરે, તેને મર્મ સમજે નહિ, સમજવાનો પ્રયત્ન કરો નહિ અને પિતાને ધાર્મિક માને તથા મના ઉપરાંત તમારૂં જીવન અપવિત્ર રાખે તે ધર્મની હાંસી થાય તેમાં દોષ કોને? એક માણસ સામાયિક પ્રતિક્રમણની દ્રવ્ય ક્રિયા માત્ર કરે અને તેનું મન મેલું હોય, હદયમાં વૈરભાવ ભરેલ હોય તે દોષ કોનો?
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy