SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ હિત–શિક્ષા-શતક ૭૧ (૭૪) ભગવાન મહાવીર ગૌતમસ્વામીને કહે છે કે “હે ગૌતમ! જે સાધુ-સાધવી મુંજ કે ખજુરીની સાવરણીથી ઉપાશ્રયમાં કાજે લે છે. તે સાધુ-સાધ્વીઓને જ ઉપર દયા નથી ! એમ તું જાણ!” (૭૫) માત્રાની કુંડી પૂજવા ઉનની જ ચરવળી ખાસ જુદી રાખવી, છાંટની ચરવલી કડક હોવાથી જીવહિંસા થવાને સંભવ છે. (૭૬) માત્રાની કૂંડી વાપરવામાં ઉપયોગ રાખવો, કારણ કે –વારંવાર વપરાતી હૂંડી સુકાતી ન હોવાથી સંમૂછિમ જી ઉત્પન્ન થાય. તેમજ વર્ષાદ આદિના ટાઈમમાં કુંડી બે ઘડીમાં સંપૂર્ણ સુકાતી નથી, માટે બરાબર નીતારવાને ઉપગ રાખો. . (૭૭) કુંડી મૂકવાની જગ્યા પણ પથ્થરવાળી હોય તે ત્યાં ઈંટ મૂકી અથવા રેતીનો ઢગલો કરી તેના ઉપર કુંડી મૂકવી, નહિ તે કીનારી ન સુકાવાથી તેમજ પથ્થર ઉપર માત્રાને છાંટો પડ્યો રહેવાથી જીવની ઉત્પત્તિ થાય. 1 કુંડી નીચે વસ્ત્ર ન મૂકવું, કારણ કે-વસ્ત્રની નીચે જીવે પિસી જાય અને કુંડી મૂકતાં મરી પણ જાય. (૭૮) પગલુંછણયા ઉપર પગ ઘસાય નહિ તથા તેના ઉપર ચલાય પણ નહિં. તેમજ ચટ્ટાઈને પણ ઉપગ કરાય નહિં. (૭૯) ખાંસી, છીંક, બગાસું આદિ આવે ત્યારે મુખ આગળ મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, જેથી વાયુકાય અને સકાય આદિ જાની વિરાધના થતી અટકી જાય.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy