SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] સુમન ! માર્ગોનુસારિતાના ત્રીજા ગુણમાં આર્યકુળોની વિવાહવ્યાવસ્થાના પાલનનું વિધાન છે. આ ગુણ વિવાહિત પતિ-પત્નીને હિત કરે છે; ઉપરાંત તેના કુટુંબને, સ્વજનેને, સંબંધીઓને, જ્ઞાતિજનોને, તે તે સમાજને, રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને પણ હિત કરે છે. સુમન ! આ હકીકતને સમજવા માટે દૃષ્ટિને વિશાળ અને સૂક્ષમ બનાવવી પડશે. એકાગ્રતાથી શ્રવણ, મનન અને ચિંતન કરવું પડશે. સુમન ! મેંઘા મનુષ્યભવને પામીને માણસ કેવળ જીવન જીવી જ નથી. પિતે વિવિધ પ્રકારે લાભ કે હાનિ કરી જાય છે અને પાછળ વિવિધ પ્રકારનો વારસો મૂકતે જાય છે. સુમન ! કોઈ લક્ષ્મીને વારસો મૂકી જાય છે, તે કઈ દેવાનો મૂકી જાય છે એ જાણુએ છીએ, પણ એ ઉપરાંત બીજે વિવિધ વારસો મૂકી જાય છે, જે તરફ આપણે લક્ષ્ય ઓછું આપીએ છીએ. કઈ સદાચારને તે કઈ અસદાચારને, કેષ્ઠ રાગને તે કઈ વૈરાગ્યને, કેઈ ત્યાગને તે કઈ ભેગને, એમ વિવિધ વસ્તુઓને માણસે વારસામાં મૂકી જાય છે. સુમન ! મનુષ્ય પોતાના વારસામાં એક એવો જીવનને ઈતિહાસ પણ મૂકી જાય છે કે–પાછળના છે તેમાંથી પોતાની ચોગ્યતા પ્રમાણે ગુણ કે અવગુણને પણ ગ્રહણ કરે છે. એની પ્રશંસા કે નિંદા દ્વારા, સદ્ભાવ કે અસદુભાવ દ્વારા અથવા અનુકરણ કે અનનુકરણ દ્વારા પોતાનું હિત અને અહિત પણ ૧૨૯.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy