SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] સુમન ! ન્યાયસમ્પન્ન વૈભવ આત્મધર્મને પામે છે, એ આજ પૂર્વે કરેલી વિચારણાથી તને સમજાયું હશે. આત્માને કટ્ટર શત્રુ અહંભાવ છે. તેના વશીકરણથી છવ સ્વાથી બને છે. તે જડ, અનિત્ય, પરવસ્તુઓમાં મમતા કરે છે અને એ મમતા ‘જીવને અન્યાયના પંથે ઘસડી જાય છે. માટે અન્યાયથી : બચવું હશે તેણે તેના મૂળ કારણને નાબૂદ કરવું પડશે. - સુમન ! બાહ્ય શરીરના રક્ષણ-પોષણ માટે જડ પદા નો ઉપયોગ અનિવાર્ય છે. તેથી તેને મેળવવાને નિષેધ ન કરી શકાય, પણ જીવને અન્યાયના પંથે દેરી જનારી તે પદાર્થો પ્રત્યેની મમતાને તજ્યા વિના ન્યાયનું પાલન શકય નથી અને ન્યાયના પાલન વિના તત્ત્વથી ધર્મ કે તજન્ય સુખ કદિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. | સુમન ! જગતમાં કંચન અને કામિની-એ બે એવાં મિહક ત છે કે–સામાન્ય મનુષ્ય તેના સંગને તજી શકે તેમ નથી અને તેને સંગ સત્વહીન-રાગી-દ્વેષી અને ન્યાયથી ચલિત કર્યા વિના રહેતો નથી. પ્રથમ નજરે તે જીવનમાં ધનને અનિવાર્ય માનીને મનુષ્યનું મન ધન મેળવવા તરફ દેરાય છે, પણ પછી તેને મળેલું થોડું પણ ધન રાગ ૪૨
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy