SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] સુમન ! ગઈ વખતે કરેલી વાતો ઉપર તે ચિંતન કર્યું હશે. તને સમજાયું હશે કે ગૃહસ્થજીવનમાં પ્રત્યેક કાર્યોને ધમ સ્વરૂપ બનાવવા માટે જિનવચનને આશ્રય લીધા વિના ચાલે તેમ નથી. સાંભળ! એ માટે જરૂરી એક વાત હું તને સમજાવું છું. જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉદયથી સંસારી જીવ માત્ર છદ્મસ્થ એટલે અજ્ઞ છે. તેથી તે સુખના પ્રયત્ન કરે તે પણ પ્રાયઃ વિપરીત થાય છે. એ કારણે તે આપણે અનંત કાળથી પ્રત્યેક જન્મમાં સુખ માટે ઘણું ઘણું કર્યું, પણ સુખ ન મળ્યું, દુઃખ વધતું જ રહ્યું, શું કઈ કાર્ય તેને કરવાની આવડત વિના સિદ્ધ થાય? આ જ્ઞાન આપણું જ્યાં સુધી પ્રકાશમાં ન આવે, ત્યાં સુધી બીજાના જ્ઞાનને આશ્રય લે જ રહ્યો. તે પણ જે તે જ્ઞાનને નહિ, પણ જ્ઞાનસપૂર્ણ એવા શ્રીતીર્થકર ભગવંતના જ્ઞાનને જ. એ કારણે કે તેઓ પોતાના જ્ઞાનને સંપૂર્ણ પ્રકાશ કરીને પછી જગતના અને માર્ગ બતાવી ગયા છે. એમ છતાં સુમન ! જગતના ત્રણે કાળના ભાવે એટલા 10.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy