SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિઓની પરાધીનતાથી મુક્ત-અનુપમેય અને સર્વ દુખોથી તથા પાપોથી રહિત છે, રાગરહિત-કલેશરહિતઅકર્તા-અમર–અનુપમ સ્થ–પૈયુક્ત, સર્વ વસ્તુઓથી નિરપેક્ષ, ક્ષાયિક ગુણેના નિધિ, ત્રણેય લેકમાં ચૂડામણ અને ત્રણેય લેકથી પૂજનીય-વંદનીય છે, એવા શ્રી સિદ્ધોના અનંતાનંત ગુણેની અનુમોદના કરું છું. . વળી હે ભગવંત! ત્રણેય કાળના પૂજ્ય સર્વ આચાર્યભગવંતનું જે પંચાચારનું સમ્યગૂ પાલન કોઈ બદલાની ઈચ્છા વિના ભવ્ય જીને પંચાચારપાલન માટે પ્રરુપણ, ભવ્ય જીવોને સમ્યમ્ બોધ પમાડવાપણું અને તેઓને પંચચારોનું પાલન કરાવવાપણું, વિશ્વહિતકર શ્રી જૈનશાસનની રક્ષા અને પ્રચાર કરવાપણું તથા શ્રી જૈનશાસનની પ્રભાવના કરવાપણું, વગેરે તેના વિવિધ ગુણોની હું આપની સમક્ષ ત્રિવિધ ત્રિવિધ અનુમોદના કરું છું. - વળી પંચાચારપાલનમાં રક્ત સર્વ પૂજ્ય ઉપાધ્યાયભગવંતેનું પ્રકૃતિએ જ પરોપકારીપણું અને શ્રી જિનપ્રણિત આગમને સ્વયં ભણવાપૂર્વક અન્ય જીને પણ ભણાવવાપણું, વગેરે તેના ગુણેની પણ ત્રિવિધે ત્રિવિધે અનુમોદના કરું છું. એ રીતે કૃતપુણ્ય-ચારિત્રચૂડામણી–ધીર–વીર–સુગહિતનામધ્યેય-ગુણરત્નના નિધાન અને સુવિહિત સર્વ સાધુભગવંતેની પણ નિષ્કલંક વિસ્તૃત શીલવૃત્તિને,
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy