SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પર તે તે મહાત્માએ તેની પાછળ ત્યાં જઈને કણ કણ ચૂરીને તેને ભગાડો. એમ એ સઘળા મોહના પરિવારને ભગાડી દેવાથી તેના આધારે જીવતે મહરાજ સ્વયં અકિંચિકર થઈને પડ્યો. એ રીતે વિજય મળતાં તે મહાત્મા પરમાનંદને અનુ માવતે ઉપશાત્મેહ નામના અગિયારમા પગથિયે અંતમુહૂર્ત રહ્યો. ત્યારે પેલા મુડદાલ બનેલા લોભને સૂક્ષમ અંશ પુનઃ સ્વસ્થ થયે અને શરીરની-ઉપકરણની મૂરછ રૂપે તે મહાત્માના ચિત્તમાં પેઠે. તેના પ્રભાવે શરીરાદિની મૂછીને વશ થયેલા તે મહાત્માને ત્યાંથી પાછો છેક નીચે પહેલા પગથિયે ફેક્યો. ત્યારે વચ્ચે જે મેહના સુભટોને જ્યાં જ્યાં તાડના કરી હતી, ત્યાં ત્યાં તે સર્વે પોતપોતાના સ્થાને સ્વસ્થ થઈને આ મહામાને ઘેરી વળ્યા અને અતિ કૂપિત થઈને, ઘણાં પાપ કરાવીને, ધર્મભ્રષ્ટ કરીને, એ બીચારાને એકેનિદ્રાદિમાં લઈ ગયા અને ત્યાંથી નરક વગેરે ગતિઓમાં ઘણા ભ ભટકાવ્ય. પુનઃ એ જીવને પુણ્યકમેં માનવભવનાં મહા કદ્ધિમાન પરમ શ્રાવક એવા નગરશેઠના પુત્ર તરીકે જન્મ આપ્યો. ત્યાં વયે સર્વ કળાઓ શીખ્યો, પણ પ્રજ્ઞાનું બળ ઘણું હોવાથી તેને તેટલામાં સંતોષ ન થયા. તેણ પૂછપરછ કરતાં જાણ્યું કે-જૈન સાધુઓ પાસે ઘણું અને વિશિષ્ટ કળાઓ હોય છે, તેથી એક આચાર્ય મહારાજ પાસે ગયા અને તેઓને વંદન-વિનય કરીને તેણે
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy