SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ હા ! બાકીના શબ્દોમાં વાક્ય જેમ બોલવામાં સારું લાગે તેમ પદક્રમ ગોઠવાય છે. કોઈ નિયતક્રમ નથી. શ્લોકમાં પણ શબ્દોનો કોઈ નિયત ક્રમ નથી હોતો. તેથી તે વખતે વાક્યનો અન્વય કરી પછી અર્થ થાય. [2] વાક્યરચનામાં જરૂરી એક બાબત એ કે ધાતુનો સંબંધ ડાયરેક્ટ નામ સાથે ન હોય તો નામને ષષ્ઠી વિભક્તિ લગાડવી. વાત વિગતે સમજીએ - 1. ભગવાનની પૂજા કરે છે. અને 2. ભગવાનને પૂજે છે. ઉપરોક્ત બન્ને વાક્યોનો અર્થ સરખો છે. પણ, એકમાં ભગવાન કર્મ છે. એકમાં ભગવાન સંબંધ છે. આ જ વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ જોઈએ તો 1. નિનસ્થ પૂનાં જતિ 2. નિન પૂનતિ આમ તો પરિસ્થિતિ સ્પષ્ટ છે. પણ ભૂલ અહીં થાય કે “ભગવાનની પૂજા કરે છે' આવા વાક્યના સંસ્કૃત અનુવાદમાં ભગવાનની = નિની પૂજા કરે છે = પૂનયતિ | નિની પૂનયતિ આવું વાક્ય બની જાય છે. આ વાક્ય ખોટું છે. કારણ કે વાસ્તવમાં આનો અર્થ “ભગવાનની પૂજે છે” આવો થઈ જાય. અહીં ધ્યાન એ રાખવાનું કે નિન શબ્દનો સીધો સંબંધ ધાતુ સાથે છે. આવી પરિસ્થિતિમાં નિન ને બીજી જ લાગે. જે શબ્દનો સીધો ધાતુ સાથે સંબંધ થાય તેને દ્વિતીયા લગાડવી જોઈએ. જ્યારે નિન પૂનાં રોતિ આ વાક્ય પણ ખોટું જ છે. કારણ કે હવે નિન નો ડાયરેક્ટ સંબંધ ધાતુ = ઋતિ સાથે નથી. પણ પૂના = શબ્દની = નામની સાથે છે. માટે હવે અહીં ષષ્ઠી વિભક્તિ લાગશે. આ મૂંઝવણ ટાળવા માટે “ભગવાનની પૂજા કરે છે' આવા વાક્યને ભગવાનને પૂજે છે” આવા વાક્યમાં ફેરવી પછી અનુવાદ કરવો તો ભૂલ નહીં રહે. આ બાબત સ્થિર કરવા માટે થોડી practice કરી લો : 1. તે મારી નિંદા કરે છે. 4. તે ભગવાનના દર્શન કરે છે. 2. તે મારી શોધ કરે છે. 5. તે શાલિભદ્રની પ્રશંસા કરે છે. 3. તે ભોજન કરે છે. સરલ સંસ્કૃતમ્ - પ્રથમ પાઠ-૧૬ સ્વાધ્યાયનું એક વાક્ય પણ આ સંદર્ભે ધ્યાનમાં લેવા જેવું છે. ત્યાં ગુજરાતીથી સંસ્કૃત અનુવાદ કરવા માટે વાક્ય આપ્યું છે સરલ સંસ્કૃતમ્ - ૪ - ૨૦૯ • જ સં.વા.સે. 8
SR No.022984
Book TitleSaral Sanskritam Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy