SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ પરિશિષ્ટઃ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રાણતરોગ પ્રાપ્ત થવે તેની આદિ છે, પણ તે યોગ કેઈવાર પણ નિવૃત્તિ પામતે નથી, માટે અનંત છે. ' જગના ભાવમાંથી ઉદાસીન થઈ ચેતન્ય વૃત્તિ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ-સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેને હર્ષ આનંદઘનજી દર્શાવે છે. પિતાની શ્રદ્ધા નામની સખીને આનંદઘનજીની ચેતન્ય વૃત્તિ કહે છે, કે હે સખી મેં રાષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે અને તે ભગવાન મને સર્વથી વાહાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈ પણ પતિની ઈચ્છા કરંજ નહીં. કેમકે બીજા બધા જન્મ, જરા, મરણુદિ દુ:ખે કરીને આકુળ વ્યાકુળ છે, ક્ષણવાર પણ સુખી નથી; તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય? ભગવાન ઋષભદેવ તે અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે. માટે તેને આશ્રય કરું તે મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે એગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી હે સખી મને પરમ શીતલતા થઈ. બીજા પતિને તે કેઈ કાળે વિગ પણ થાય, પણ આ મારા સ્વામીને તે કઈ પણ કાળે વિયેગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કાઈપતિરંજન અતિઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવ ચિત્ત ધયું રે, રંજન ધાતુ મેળાપ. ઋ(૪) કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ, દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. (૫) ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણું રે, આનંદઘન પદ રેહ. (૬)
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy