SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા બોધરૂપ ફળ આપતું નથી, એળે જાય છે, તેવા શ્રવણમાં તે વાયુના તરંગથી ( Air-waves) શબ્દ કર્ણપટ પર અથડાઈ પાછા વાયુમાં–હવામાં મળી જાય છે ! જેમ કેઈ એક રાજા રાત્રે શયન કરતી વેળાએ વાર્તા સાંભળતે હેય, ઊંઘમાં ને ઊંઘમાં તે હંકારે પણ તે જાય, પણ તેનું લક્ષ તેમાં હોય શુશ્રુષા વિનાનું નહિં, શું સાંભળ્યું તે તેના શ્રવણ વ્યર્થ ખ્યાલમાં રહે નહિં ! અને સવારે ઊઠીને બાપુ પૂછે કે–અલ્યા ! રાત્રે કઈ વાર્તા કરી હતી ? તેમ પ્રસ્તુત શુશ્રુષા વિનાનું શ્રવણ કરતે હેય તે જાણે ઊંઘમાં હોય એમ સાંભળે છે ! તે મેટેથી ઘાંટો પાડી “જી ! મહારાજ ” એમ હોંકારો પણ દે છે! પણ શું સાંભળ્યું તેનું તેને ભાન હેતું નથી! તે ઘેર આવીને પૂછે કે આજ મહારાજ વખાણમાં શી વાત કરતા હતા ! આમ સાચી શુશ્રષા વિનાનું શ્રવણ ફેગટ–નકામું છે, હૃદયને સ્પર્શતું નથી, એક કાનથી બીજે કાને કાઢી નાંખ્યા જેવું થાય છે. ઉત્કટ શ્રવણેચ્છા વિનાનું જે શ્રવણ તે નામમાત્ર શ્રવણ છે. એમ તે આ જીવે અનંત વાર કથા-વાર્તા સાંભળી છે, ને સાંભળી સાંભળીને તેના કાન પણ ફૂટી ગયા છે ને મહારાજેના ઘાંટા પણ બેસી ગયા છે ! તે પણ હજુ તેને બ્રહ્મજ્ઞાન–સાચું આત્મજ્ઞાન થયું નથી ! અખા ભક્ત કહ્યું છે તેમ “કથા સુણી સુણી ફૂટ્યા કાન, તેય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન.... કારણ કે તેણે અંતરાત્માથી શ્રવણ કર્યું નથી. ખરું શ્રવણ તે ત્યારે થાય કે જ્યારે મન રી-પ્રસન્નતા
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy