SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા વળી આપણે જોયું હતું કે ભાવમલની અપતાથી જ ચરમાવર્તમાં અવાય છે, અને ઉત્તરોત્તર આત્મદશા વધે છે. માટે આ ભાવમલ આત્મમલિનતા ભાવમલની ક્ષીણુતા –માંહીને મેલ જેમ દૂર થાય તેમ પ્રયત્ન કરે જોઈએ. આ ભાવમલને દૂર કરવાની રહસ્ય-ચાવી ( Master key) આપણું પિતાના જ હાથમાં છે, કારણ કે રાગ, દ્વેષ ને મોહ એ જ મુખ્ય ભાવમલ છે, તે કરવા-ન કરવા આપણા હાથમાં છે તે જેમ જેમ દૂર કરીએ તેમ તેમ આત્માની ભાવશુદ્ધિ થતી જાય છે. એટલે આત્માના વિકાસને અને તે માટેના પુરુષાર્થને માર્ગ સદાને માટે સાવ ખુલ્લો પડયો છે. જીવ જેમ જેમ રાગશ્રેષ-મેહની માત્રા ઘટાડતે જાય, વિષય-કષાયની મંદતાક્ષીણતા કરતે જાય, તેમ તેમ તેનું ગુણસ્થાન” વધતું જાય. અને આ બધાને સારસમુચ્ચય એ જ છે કે-જીવ કષાયનું ઉપશાંતપણું કરે, માત્ર મેક્ષ સિવાય બીજી કઈ પણ અભિલાષા-ઈરછા ન રાખે, ત્યાં આત્મા નિવાસ સંસાર પ્રત્યે બેદ-કંટાળે–વૈરાગ્ય ધારે, અને સર્વ પ્રાણી પ્રત્યે દયા દાખવે, તે ત્યાં આત્માર્થને નિવાસ થાય. એવી યેગ્ય દશાને વેગ જીવ જ્યાંસુધી ન પામે ત્યાં સુધી તે એક્ષમાર્ગને પામે નહિં અને તેને અંતર રોગ મટે નહિં. અને તેવા પ્રકારે ઉક્ત સર્વ શાસ્ત્રક્શનના પરમ નિષ્કર્ષરૂપનીચેહરૂપ શ્રીમદ્ રાજચંદ્રજીનું અત્યંત માર્મિક મનનીય સુભાષિત છે કે
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy