SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનુભવી દષ્ટા' વિરલઃ ખાલી વાત કરનારવિપુલ ૧૩૧ સ્વરૂપદર્શન કરાવવાને સમર્થ હોય છે, એટલે તેવા “પ્રાપ્ત પુરુષ જ દિવ્ય દર્શનની પ્રાપ્તિમાં “આમ” છે, આત્માથીને પરમ વિશ્વાસ કરવા ગ્ય છે. બાકી બીજાથી શું ? “તર્કવિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કેય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તેવિરલા જગ જોય. પંથડે નિહાળું રે બીજા જિનતણે રે.”૪. પથિક–ગિરાજ ! અભિમત વસ્તુ કહેનારા જગમાં વિરલા છે એમ આપ કેમ કહે છે? આ અભિમત વસ્તુની વાર્તા કરનારા તે જગમાં આટલા બધા જ જણાય છે, છતાં આપે “વિરલા છે” એમ કહે છે તેથી આશ્ચર્ય થાય છે. ગિરાજ–હે ભદ્ર ! તું હારે કહેવાને આશય સમ નથી. વસ્તુને વસ્તુગતે અર્થાત્ વસ્તુનું જેમ સ્વરૂપ છે તેમ યથાર્થપણે–સમ્યક્ષણે કહેનારા આત્માનુભવી દષ્ટા વિરલઃ વિરલા છે એમ મારું કહેવું છે. અને ખાલી વાતો કરનારા વિપુલ તેવા પ્રકારે વસ્તુગતે પણ તે જ કહી શકે કે જેને વસ્તુના યથાર્થ સ્વરૂપનું સંવેદન થયું હોય-સાક્ષાત્ અનુભવન થયું હોય. એવા આત્માનુભવી ‘દ્રષ્ટા” જ્ઞાની પુરુષ જ તે કહેવાને સમર્થ છે એમ આગળ પણ સ્પષ્ટ કહ્યું હતું. અને તથારૂપ જ્ઞાની તે વિરલા જ છે. બાકી પિતાને પોતાનું પણ ભાન નહિ છતાં–આત્મપ્રતીતિ નહિં છતાં, ઠેઠ સિદ્ધપદ સુધીના છડેચોક ઉપદેશ કરનારા, વ્યાસપીઠ પરથી મોટા મોટા વ્યાખ્યા કરનારા જગમાં કંઈક પડયા છે ! અરે ! પિતાના
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy