SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાન વિનાનું સર્વશાસ્ત્ર જ્ઞાન એકડા વિનાના મીંડા જેવું ૧૧૧ એટલા માટે જ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જે દ્રવ્યથી નવ પૂર્વ પણ ભણેલ હય, નવ પૂર્વને પણ પાઠી-અભ્યાસી હાય, પણ જે આત્માને ન જાર્યો હોય તે તે અજ્ઞાની છે. આમ જ્યાં નવ પૂર્વ જેટલું કૃત ભણેલે એવો અધ્યાત્મરસપરિણતિ વિનાને શુષ્કજ્ઞાની બહુશ્રુત પણ અજ્ઞાની કહ્યો છે, તે પછી આજકાલના અભ્યશ્રત શુષ્ક વાચાજ્ઞાનીઓની તે શી વાત કરવી ? વ્યાકરણનું–શબ્દશાસ્ત્રનું કે ભાષાનું જ્ઞાન તે જ્ઞાન નથી, ન્યાયનું કે દર્શનશાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી, કાવ્યનું કે કે અલંકારશાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન આત્મજ્ઞાન વિનાનું સર્વ નથી, જોતિષનું કે વૈદકનું જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન એકતા તે જ્ઞાન નથી, વિજ્ઞાનનું કે અન્ય વિનાના મીંડા જેવું! શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી, અથવા આ બધાય જ્ઞાન ઔપચારિક જ્ઞાન છે–દ્રવ્ય શ્રુતજ્ઞાનના પ્રકાર છે. પારમાર્થિક જ્ઞાન તે એક ભાવશ્રુતજ્ઞાન અથવા આત્મજ્ઞાન જ છે. એક આત્મવિદ્યા જ વિદ્યા છે, બાકી બીજી બધી ય વિદ્યા અવિદ્યા જ છે અથવા ઔપચારિક જે હોય પૂર્વ ભણેલ નવ, પણ જીવને જાણે નહીં, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશેષ, જીવ કરવા નિર્મળે; જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. નહિ ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિચાતુરી, નહિં મંત્ર જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી; નહિં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળે...જિનવર” –શ્રીમદ્ રાજચંદ્રજી.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy