SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ હદય નયન નિહાળે જગધણી ” ૯૭ પણને મહારોગ જીવને લાગુ પડે છે, તેને જે અધ્યાત્મવિદ્યામાં પારંગત એવા કેઈ સાક્ષાત્ આત્માનુભવી સદ્ગુરુરૂપ સવૈદ્યને જેગ થાય, અને તે સદ્દગુરુ પોતાની પ્રજ્ઞારૂપ શલાકામાં પ્રવચનરૂપ દિવ્ય અંજન લઈ તેને આંજે– અંજનશલાકા” કરે, તે જ જીવના આ દષ્ટિરોગ દૂર થાય, તો જ આ દિવ્ય નયન ઉર્મીલન પામે, તે જ આ દિવ્ય ચક્ષુ ઉઘડે. એટલા માટે જ કહ્યું છે કે – "अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन, तस्मै सद्गुरवे नमः ॥” અને જેમ આંખ અંધ હય, અથવા બ ધ હોય ત્યાં સુધી પાસે જ ઉત્તમ નિધાન-ખુલે ખજાને પડ હોય છતાં તેની ખબર ન પડે અને જેવી હૃદય નયન નિહાળે આંખ ખુલે કે તરત જ તે દેખે; જગધણી” તેમ જ્યાં લગી જીવની દૃષ્ટિ બંધ હાય-દષ્ટિઅંધતા હોય, ત્યાં લગી આત્મવસ્તુરૂપ પરમ ગુણરત્નને નિધાન પિતાની પાસે જ ખુલ્લો પડ છતાં દેખાય નહિં, પણ જેવી “દૃષ્ટિ” ખુલેદષ્ટિઅંધતા દૂર થાય કે તરત જ આ પિતાની પાસે જ રહેલે–પિતામાં જ રહેલે આ આત્મવસ્તુરૂપ ગુણરત્નને નિધાન પ્રગટ દેખાય, ખુલે ખુલ્લો ખજાને નજરે પડે, આત્મા પ્રગટ અનુભવાય–સંવેદાય, અને આવું આ ઉઘડેલું હૃદયનયન–આંતર્ ચક્ષુ-દિવ્ય નયન જગતના ધણી એવા પરમાત્મ તત્ત્વને દેખે કે જેને મહિમા મેરુ સમે મહાન છે. પથિક–ગિરાજ ! સશુરુ આંજે છે તે પ્રવચન-અંજન
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy