SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન ઊભા કરી સમય ને શક્તિને અપવ્યય કરી સમાજની ક્ષીણતા કરે છે ! જે વીતરાગનું નામ પણ શાંતિ ફેલાવે છે તે વીતરાગ ધર્મના અનુયાયીઓમાં તે વીતરાગતાનું જ વલણ હેય, નહિં તો તે અનુયાયી શાના ? નામ માત્ર અનુયાયી હેય તે ભલે હા ! કેઈ શાંત વૃત્તિવાળા મહાનુભાવ સાચા મુમુક્ષુ આત્માઓ પણ છે, પરંતુ તે વિરલાઓ બહુ અલ્પ. માટે વર્તમાન પુરુષપરંપરા પાસેથી દિવ્ય નયનની અપેક્ષા રાખવી તે પ્રાય: અજાગલસ્તન જેવી વ્યર્થ છે, માટે જ મારે સખેદ કહેવું પડે છે કે – પુરુષપરંપરા અનુભવ જોવતાં રે, અંધાઅંધ પલાય; વસ્તુ વિચારે રે જે આગામે કરી રે, ચરણ ધરણુ નહિ ડાય પંથડે નિહાળું રે બીજા જિનતણે રે” ૩. આ બધું હું મારા જાતિ અનુભવથી કહું છું, કારણ કે હું તે તે લેકેની મધ્યે પૂર્વે ઘણે વખત વચ્ચે છું. તેઓના નિકટ પરિચયમાં આવ્યો છું. તેઓના માનાથ આદિની ખેવના આચાર, વિચાર, દશા આદિ મેં તેટલી આત્માર્થની જોયા છે, અને શ્રમણ ભગવાન મહાવીરના મૂળ પરમાર્થ માર્ગથી–અધ્યાત્મપરિણતિમય એક્ષમાર્ગથી કેટલા દૂર-સુદૂર છે તે સખેદ અનુભવ્યું છે. તે પરમ શાંતિપ્રદ માર્ગને તેમને તાત્વિક લક્ષ નથી, એટલે
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy