SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ [ સાધુ જીવનની રૂપરેખા | ૧ રાતના કેટલા કલાક નિદ્રા લીધી? છ કલાકની નિદ્રા પૂરતી ગણાય. રાત્રે દશ વાગે સૂવું અને ચાર વાગે ઊઠવું જોઈએ. જરૂર કરતાં વધારે સુવાથી જડતા વધે છે અને મગજશક્તિ નબળી પડે છે. આરાધનામાં આગળ વધવા માટે નિદ્રાને ઘટાડતા જવું જોઈએ, નિદ્રા એ સર્વઘાતી પ્રકૃતિ છે એ ભુલવું નહિ. ત્રણ ત્રણ માસે અડધે અડધો કલાક નિદ્રા ઘટાડવાથી બાર માસ બાદ ચાર કલાકની નિદ્રા સુધી પહોંચી શકાય છે. શ્રી ઝાષભદેવ સ્વામીએ છદ્મસ્થકાળમાં ૧૦૦૦ વર્ષમાં અહેરાત્રિ અને વીર પ્રભુએ સાડાબાર વર્ષનાં છદ્મસ્થ કાળમાં અન્તર્મુહૂર્તની નિદ્રા લીધી હતી. • સુતી વખતે મનમાં અમુક સમયે ઉઠવાને દઢ નિશ્ચય કરવાથી તે જ સમયે ઉઠી શકાય છે. ર સવારે કેટલા વાગે ઉઠયા? બ્રાહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ જવું જોઈએ. શાસ્ત્રોમાં સાધુ માટે બે પ્રહરની નિદ્રા કહેલી છે. તેમાં પદસ્થાને એક પ્રહર નિદ્રા કહી છે. જાપ-ધ્યાન-સ્વાધ્યાયાદિ માટે બ્રાહ્મમુહૂર્ત જ સર્વોત્તમ છે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy