SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ મર્યાદા પદક : ૯૩ : (૨) સં. ૧૬૭૭ વૈશાખ સુદ ૭ બુધવારે પુષ્ય નક્ષત્રે સાબલીનગરે શ્રી વિજયદેવસૂરિ નિમિત મર્યાદાપટ્ટકમાંથી ૧ માસકમ્પની મર્યાદાએ ગીતાર્થે વિહાર કરે. ૨ સમસ્ત યતિએ માંડલે પ્રતિક્રમણ કરવા આવવું, બધાનું કારણ હોય તે ગુરુને પૂછયા વિના સર્વથા ગેરહાજર ન રહેવું. ૩ રાત્રિએ પૂજ્યા વિના સર્વથા ન ચાલવું. ૪ ઉઘાડા મુખે (મુહપત્તિ રાખ્યા વિના) સર્વથા કઈ મુનિએ ન બોલવું. ૫ પ્રતિક્રમણ કર્યા પછી ત્યાં જ જે ગણવું હોય તે ગણવું અને સંથારાપારસી ભણાવ્યા પછી પોતાના સ્થાનકે જવું. - ૬ પ્રતિક્રમણ ડાયા પછી “શુછાનો અ૬િ સુધી પ્રતિક્રમણમાં ન બેસવું. ૭ પાંચપર્વી કેઈએ વસ્ત્ર ન દેવા. ૮ આહાર કરતાં કેઈએ ન બેલવું, બેલવાનું કામ પડે તે પાણી પીને બોલવું. ૯ સાબુએ સર્વથા વસ્ત્ર ન ધોવા. આ નિયમ જેમ બને તેમ એ છે કે મોડો કાપ કાઢ પડે તેવી જયણ રાખી અગર બહુ સ્વચ્છ બગલાની પાંખ જેવા ભપકાબંધ કપડા ન રાખવાને ઉપયોગ રાખી પાળી શકાય તેમ છે. ૧૩
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy