SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ માળા પરિબાપન વિધિ. (૨૫ ) ~ ~ તે હકીકત ગુરુમહારાજને આધીન રહેવાથી અહીં તે સંબંધી વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યું નથી. ઉપર પ્રમાણે ઉપધાન વહન કરવાને પ્રાંતે પહેલું, બીજું, ચોથું ને છઠ્ઠ ઉપધાન વહન કરનારને વહેલામાં વહેલું છઠ્ઠા ઉપધાનમાં પ્રવેશ કરે તે દિવસે અને મોડામાં મોડું છ માસની અંદર માળારોપણ કરવામાં આવે છે અર્થાત માળા પહેરવામાં આવે છે. માળા પહેરવાથી ઉપધાન કાર્યની સમાપ્તિ મંદિરના શિખર ઉપર કળશ ચડાવવાની જેમ થાય છે, તે અવશ્ય કરવા ગ્ય ક્રિયા છે. માળા પહેરવાને આગલા દિવસે ઉત્તમ રેશમ વિગેરેની કરાવેલી માળા મહેસૂવપૂર્વક વરઘેડ ચડાવી, ગુરુ પાસે લઈ જઈ ત્યાં તેની પ્રતિષ્ઠા કરાવીને પછી પિતાને ઘરે અથવા શ્રી સંઘે ઠરાવેલા-આદેશ આપેલા ગૃહસ્થને ઘરે લઈ જઈ બાજોઠ કે પાટ ઉપર પધરાવવી, અને ત્યાં માળા પહેરનારે રાત્રિ જાગરણ કરવું, પરમાત્માની સ્તુતિ-રતવનાદિવડે રાત્રિ વ્યતીત કરવી. પછી પ્રભાતે તે માળા લઈને ગુરુમહારાજ પાસે માળા પહેરવા જવું. માળા પરિધાપન વિધિ. ઉપધાન વિધિ વિગેરેમાં બતાવેલા શુભ મુહુર ઉપધાન વહન કરેલા શ્રાવક-શ્રાવિકાઓ ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરી ગુરુમહારાજ પાસે આવે. ત્યાં નંદી મંડાવવામાં આવે. ઉપધાનવાહક પસહમાં ન હોય તે શ્રીફળ લઈ નંદીને ત્રણ પ્રદક્ષિણું આપે. પછી મુહપત્તિ, ચરવળે ગ્રહણ કરી, ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્રમી, મુહપત્તિ પડિલેહી, વાંદણું દઈ સમુદેશને લગતી ક્રિયા કરે. ત્યારપછી અનુ
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy