SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિવર્યાનું ટુંક જીવન ચરિત્ર - (૨૯) વિચરતા વિચરતા ભાવનગર થઈ કેળીયાક પધાર્યા. ત્યાં ચિત્રીઓની કરી તથા દેવ વંદાવી ત્યાંથી વિહાર કરી પાલીતાણુ આવ્યા. અહીં અક્ષય તૃતીયાના રોજ વરસીતપનું પારણું કરી પાલીતાણાથી વિહાર કરી વિચરતા વિચરતા વીરમગામ પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનંતિથી સંવત ૧૯૮૬ નું ચતુર્માસ વીરમગામમાં કર્યું. તેઓશ્રી સાથે મુનિરાજ શ્રી ઉદ્યોતવિજયજી, આણંદવિજયજી તથા જગતવિજયજી ચોમાસું રહ્યા હતા. ચતુર્માસમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ પંડિત જટાશંકર પાસે શાલિભદ્ર ચરિત્ર તથા યોગશાસ્ત્ર ટીકા સહિતને અભ્યાસ કર્યો. વળી તેઓશ્રીના સદુપદેશથી શ્રાવકભાઈઓ તથા શ્રાવિકા બહેને પીસ્તાલીશ આગમ અને અષ્ટ મહાસિદ્ધિને તપ વિધિપૂર્વક કર્યો, તે નિમિત્ત ઠાઠમાઠથી વરઘોડો ચડાવવામાં આવ્યા. તેઓશ્રીએ આ માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી. પિતાને પંડિત પાસે અભ્યાસ ચાલતો હોવાથી વીરમગામમાં રોકાયા, અને ચેત્રી ઓની વિરમગામમાં કરી તથા ચિત્રીપૂનમના દેવ વંદાવ્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી ભોયણી તીર્થની યાત્રા કરી મહેસાણા આવ્યા, અને ત્યાં ગુરુમહારાજનાં દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મહેસાણામાં શ્રી સૂયગડાંગ સૂત્રના જેગમાં પ્રવેશ કર્યોત્યાં થોડા દિવસની સ્થિરતા કરી ગુરુદેવની આજ્ઞાથી પોતાના શિષ્ય મુનિશ્રી જગતવિજયજી સાથે વિહાર કરી પ્રથમ અસાડ: માસમાં અમદાવાદ પધાર્યા, અને વિદ્યાશાળામાં ઉતર્યા. ત્યાં જે દિવસની સ્થિરતા કરી ત્યાંથી મુનિશ્રી જગતવિજયજી તથા મુનિશ્રી પ્રેમવિજયજી સાથે
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy