SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિ પિસહવાળાને રાઇપ્રતિક્રમણની વિધિ. (૧૩૩) બાધા ટાળીને દિવસે પડિલેહેલી જગ્યાએ સંથારે કરે. તે આ રીતે– પ્રથમ જમીને પડિલેહીને કામળી પાથરે, તેના ઉપર ઉત્તરપટ (એક પડવાળો ઓછાડ) પાથરે, મુહપત્તિ ચરવળ પડખે મૂકી, માતરીયું પહેરી ડાબે પડખે હાથનું ઓશીકું કરીને સૂવે. રાત્રે ચાલવું પડે તો દંડાસણવતી પડિલેહતાં ચાલવું. રાત્રિ પોસહવાળાએ કરવાની રાઈ (સવારના) પ્રતિક્રમણની વિધિ. પાછલી રાત્રે જાગીને નવકાર ગણી ભાવના ભાવે, માત્રાની બાધા ટાળી આવીને પછી ઈરિયાવહિયં પડિકમીને, કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ કરી રાઈ પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ પૂર્ણ થતાં છેલ્લે દેવવંદન આવે છે, તે પછી નમુત્થણે કહ્યા બાદ, ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બહુવેલ સંદિસાડું? ઈચ્છ” કહી, ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બહુવેલ કરશું, ઈચ્છે ” કહી, પછી ભગવાનાદિને વાંદીને અઠ્ઠાઈ જજે સુ કહેવું. પછી (સમય થાય ત્યારે) આ પુસ્તિકાના પૃષ્ઠ ૭૫માં સવારની પડિલેહણની વિધિ જણાવી છે તે મુજબ પડિલેહણ કરવું. ત્યાર બાદ પૃષ્ઠ ૩૬-૩૭ માં દેવ વાંદવાની વિધિ જણાવી છે, તે મુજબ દેવવંદન કરવું. તેમાં છેવટે મઢ જિણાણુની સઝાય કહેવી. ત્યારબાદ દંડાસણ, કુંડી, પાણી, કુંડલ (રૂનાં પુંભડાં) વિગેરે યાચેલી વસ્તુઓ ટા શ્રાવકને પાછી ભળાવવી. ૧ સંથારીયું.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy